SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ અજ્ઞાનીને તો સુખ-દુઃખ વચ્ચેના અંતરની જ ખબર નથી, તે તો અનુકૂળ સંયોગને જ સુખ માને છે. વાસ્તવિકપણે તેને દુઃખ ઓછું પણ થતું નથી. જ્ઞાનીઓ જ સુખ-દુઃખના અંતરને જાણે છે અને તેમને જ દુઃ ખ ઓછું થાય છે. આત્માની સાચી ઓળખાણ પછી જેમ જેમ વીતરાગતાભાવ વધે તેમ તેમ દુઃખ ટળે છે. દરેક વસ્તુ સ્વતંત્ર છે તેથી દરેકે દરેક પરમાણુઓની સંયોગ વિયોગની ક્રિયા પોત પોતાથી સ્વતંત્ર જ થાય છે. તેના કર્તા કોઈ બીજો પદાર્થ નથી. વસ્તુના સ્વતંત્ર પરિણમનને કોઈ રોકી શકે નહિ. બધા દ્રવ્યો પોતાના સ્વરૂપમાં પરિણમે છે, કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપથી બહાર પરિણમતું નથી. અનાદિથી જ્ઞાનસ્વરૂપને ભૂલીને પરના લક્ષે વિકારરૂપે પરિણમી રહ્યો છે તે જ દુઃખનું કારણ છે. દુઃખના કારણરૂપ ચાર ઈચ્છા અને તેના ટાળવાનો ઉપાય ઃ દુઃખનું લક્ષણ આકુળતા છે અને આકુળતા ઈચ્છા થતાં થાય છે. પોતાના નિરાકુળ આત્મસ્વરૂપને જાણ્યા વિના ચાર પ્રકારની ઈચ્છા જીવને થયા કરે છે. ૧. પર વિષયોના ગ્રહણની ઈચ્છા હોય છે. અર્થાત્ તેને દેખવા- જાણવા ઈચ્છે છે, પણ સ્વભાવને જાણવા-દેખવાની ભાવના કરતો નથી. વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્ત પઠાર્થોને જોવા વગેરેની ઈચ્છા થાય છે અને જ્યાં સુધી તેને દેખે- જાણે નહિ ત્યાં સુધી તે મહાવ્યાકુળ થાય છે. પોતાના આત્મસ્વરૂપને જ જ્ઞાનનો વિષય કરીને તેને જ જાણવાને બદલે પરવસ્તુને જાણવા-દેખવાની ઈચ્છા કરે છે. એનું નામ વિષય છે. ૨. પોતાના શાંત ચૈતન્ય સ્વરૂપમાં ક્રોધાદિ નથી. તે સ્વરૂપને ન અનુભવ્યું એટલે પર લક્ષે ક્રોધ, માન વગેરે થતાં બીજાને હલકો પાડવાની, કોઈનું બુરૂ કરવાની, પર વસ્તુ પ્રાપ્ત કરવાની વગેરે ઈચ્છા થાય છે અને જ્યાં સુધી એવું કાર્ય ન થાય ત્યાં સુધી તે મહાવ્યાકુળ રહ્યા કરે છે, આને કષાય કહે છે. ૩. પોતાના અસંયોગી સ્વભાવનું લક્ષ ન કર્યું એટલે સંયોગ ઉપર જ લક્ષ ગયું. ત્યાં પૂર્વના પાપને કારણે આવેલા રોગ, ક્ષુધા વગેરે પ્રતિકૂળ સંયોગને દુઃખનું કારણ માનીને તેને દૂર કરવા ઈચ્છે છે અને તે માટે આકુળ વ્યાકુળ થાય છે આ ઈચ્છાનું નામ પાપનો ઉદય છે. ૪. પોતાના નિરાકૂળ નિર્વિકાર સ્વભાવના અનુભવ થી ચ્યુત થઈને જે સંયોગ અનુકુળ માને તેને એક સાથે ભોગવી લેવાની ઈચ્છાકરે છે. આ ઈચ્છાનું નામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy