SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ જ નથી. સાચું સુખ તથા હિતરૂપ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર પોતાના આત્માના આશ્રયે જ હોય છે તેની તેને ખબર હોતી નથી. વળી કુદેવ, કુગુરૂ, કુશાસ્ત્ર અને ધર્મની શ્રદ્ધા, પૂજા, સેવા, ભક્તિ અને વિનય કરવાની જે જે પ્રવૃત્તિ છે તે પોતાના મિથ્યાત્ત્વાદિના મહાન દોષોની પોષણ કરનારી હોવાથી દુઃખ દાયક છે, અનંત સંસાર પરિભ્રમણનું કારણ છે. દુર્લભ એવા મનુષ્ય જીવનને તે નષ્ટ કરે છે. અગ્રહીત મિથ્યાદર્શન, જ્ઞાન, ચારિત્ર જીવને અનાદિ કાળથી છે. વળી તે મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી કુશાસ્ત્રનો અભ્યાસ કરી, કુગુરુનો ઉપદેશ સ્વીકારી અને કુદેવની પુજા, ભક્તિ, વિનયકરીગ્રહીત મિથ્યાત્વ, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ધારણ કરે છે તથા તે કુમતને અનુસરી મિથ્યા ક્રિયામાં રચ્યો પચ્યો રહે છે. તે જ મિથ્યાચારિત્ર છે. આ બધું જીવે આ ભવમાં ગ્રહણ કર્યું છે. માટે જીવે સારી રીતે સાવધાન થઈને ગ્રહીત અને અગ્રહીત બન્ને પ્રકારના મિથ્યા ભાવો છોડવા યોગ્ય છે. અને એનો યથાર્થ નિર્ણય કરી, નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. મિથ્યાભાવોનું સેવનકરી કરીને, સંસારમાં ભટકી, અનંત જન્મ ધારણ કરી અનંતકાળ દુઃખમાં ગુમાવ્યો, હવે તો સાવધાન થઈને આ આત્માનું હિત કરવું જોઈએ નહિતો આ રત્ન ચિંતામણિ જેવો મનુષ્ય ભવ નિષ્ફળ જશે. આત્માનું કલ્યાણ સુખ પ્રાપ્ત કરવામાં છે. હકીકતે તો એ જ એનો સાચો સ્વભાવ છે. આકુળતા (ચિંતા- કલેશ)નું મટી જવું તે જ નિરાકુળતા છે, તે જ સાચું સુખ છે. મોક્ષ જ સુખરૂપ છે. એટલા માટે દરેક આત્મ હિતેચ્છુએ નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્યારિત્ર એ ત્રણેની એક્તારૂપ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. કરવા જેવું કાર્ય હોય તો આ એક જ મનુષ્ય ભવનું કર્તવ્ય છે. આત્માનું સર્વ પર દ્રવ્યોથી ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાનતે નિશ્ચય સમ્યગ્દર્શન છે, આત્માનું સર્વપદ્રવ્યથી ભિન્નપણાનું યથાર્થ જ્ઞાનતેનિશ્ચયસમ્યજ્ઞાન છે, પર દ્રવ્યોનું આલંબન છોડીને આત્મ સ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય સમ્યચ્ચારિત્ર છે. માટે જેને નિજ હિતની ગરજ છે તે દરેક આત્મ હિતેચ્છુએ સત્રાસ્ત્રનો સ્વાધ્યાય, સત્સમાગમ અને તત્ત્વ ચર્ચા જેને સત્સંગ કહેવામાં આવે છે, એનો યથાર્થ ચિંતન-મનન વડે તેવું વિચાર કરી યથાર્થ તત્ત્વ નિર્ણય કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy