SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ • સમ્યગ્દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ ‘હું એક નિર્મળ પર્યાય છું’ એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો વિષય અખંડ એક અભેઠ ત્રિકાળી દ્રવ્ય છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. - યથાર્થ વસ્તુ સ્વરૂપ • ત્રણ લોકમાં જે અનંત જીવો છે તે સર્વે સુખ ચાહે છે. અને દુઃખથી ડરે છે. પણ પોતાનું અસલી સ્વરૂપ સમજે તો જ સુખી થાય. ચાર ગતિના સંયોગ તે દુઃ ખનું કારણનથી છતાં પરમાં જે એકત્ત્વબુદ્ધિ, મમત્ત્વબુદ્ધિ, તૃત્ત્વબુદ્ધિ વડે ઈષ્ટ - અનિષ્ટપણું માનીને શુભરાગથી ધર્મ થાય એવી જે માન્યતા એ જ મિથ્યાત્ત્વ છે. તેનાથી જીવદુ: ખી થાય છે. સંસારની કોઈ ગતિ સુખ ઠાયક નથી. નિશ્ચય સમ્યગ્દર્શન જ સુખનું કારણ છે. આ જીવ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને વશ થઈને ચાર -ગતિમાં વારંવાર પરિભ્રમણ કરીને પ્રત્યેક સમયે અનંત દુઃખો ભોગવી રહ્યો છે. જ્યાં સુધી દેહાદિથી ભિન્ન પોતાના આત્માની સાચી સમજણ અને રાગાદિનો અભાવ ન કરે ત્યાં સુધી આ જીવને સાચું સુખ, શાંતિ અને શાતા ઉપજી શકતી નથી. આત્મહિત માટે ( સુખી થવા માટે) પ્રથમ અને ધર્મની યથાર્થ પ્રતીતિ. * ગુરુ સાચા દેવ, * જીવાદિ સાત તત્ત્વની યથાર્થ પ્રતીતિ. સ્વ-પરના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા નિજ શુદ્ધાત્માના પ્રતિભાસરૂપ સ્વની શ્રદ્ધા. આ ચાર લક્ષણોના અવિનાભાવ સહિતની સત્ય શ્રદ્ધા-નિશ્ચય · સમ્યગ્દર્શન જ્યાં સુધી જીવ પ્રગટ ન કરે ત્યાં સુધી જીવ (આત્મા) નો ઉદ્ધાર થઈ શકે નહિ. અર્થાત્ ધર્મની શરૂઆત પણ થઈ શકે નહિ અને ત્યાં સુધી આત્માને અંશ માત્ર સુખ પ્રગટે નહિ. ⭑ * સાત તત્ત્વની ખોટી શ્રદ્ધા કરવી તે મિથ્યાદર્શન છે. તેના કારણે આત્માના સ્વરૂપ વિષે વિપરીત શ્રદ્ધા કરીને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોર્મ તથા પુણ્ય – પાપ રાગાદિ મલિનભાવમાં એકતા બુદ્ધિ, કર્તા બુદ્ધિ છે; અને તેથી શુભ રાગ અને પુણ્ય હિતકર છે, શરીરાદિ પર પદાર્થોની અવસ્થા (ક્રિયા) હું કરીરાકુ છું, પર મને લાભનુકસાન કરી શકે છે અને હું પરનું કાંઈ કરી શકું છું, આમ માનતો હાવાથી તેને સત્- અસત્ નો યથાર્થ વિવેક હોતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy