SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ પ્રતીતિ ન થતાં અન્યથા પ્રતીતિ થાય છે. વળી એ મિથ્યાદર્શનના નિમિત્તથી ક્ષયોપશમ રૂપ જ્ઞાન છે તે અજ્ઞાન બની રહ્યું છે જેથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જણાતું નથી. ચારિત્રમોહના ઉદયથી થયેલો કષાયભાવ તેનું જ નામ અસંયમ છે, જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન પ્રવર્તતા અન્યથા પ્રવર્તે છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ : સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધા ગુણની નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યગ્દર્શનને કેઈ વિકલ્પનું અવલંબન નથી પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે. ‘હું બંધાયેલો છું અથવા હું ગંધરહિત મુક્તછું” એવી વિચારશ્રેણીને ઓળંગી જઈને જે શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ છે અને તે જ ‘સમયસાર’ અથવા ‘શુદ્ધ આત્મા’ છે. બેઠના વિકલ્પ આવે છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી. ભેઠના વિચારમાં અટકવું તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નથી. સ્વરૂપ તો અભેદ છે, જ્ઞાતા દ્દષ્ટા છે, તેનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. ♦ વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. અખંડાનંદ, જ્ઞાનાનંદ, અભેઠ ત્રિકાળી ધ્રુવ આત્માનું લક્ષ નય દ્વારા થતું નથી. સ્વરૂપના અનુભવ કરવા બધાં જ વિકલ્પો છોડી દેવા પડે. ભેદનાલક્ષથી અભેદ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી. સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્યગુણ છે, તેને એકલાનિશ્ચય અખંડ સ્વભાવ સાથે જ સંબંધ છે. અખંડ દ્રવ્ય જે ભંગ-ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી. એક સમયમાં અભેઠ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો- છતો- છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રયકરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે. ત્રિકાળ વિદ્યમાન તત્ત્વ ભગવાન આત્મા, એક સમયની પર્યાય વિનાનો, અવિનાશી, અવિચળ, ધ્રુવ, ચૈતન્યસૂર્ય તેને શુદ્ધ નય પ્રગટ કરે છે. દૃષ્ટિનો વિષય આ એકમાત્ર વિદ્યમાન જ્ઞાયક તત્ત્વ છે. ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. ♦ જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડયું છે, તેનો અનુભવ કરીને, પ્રતીતિકરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈન ધર્મ છે. અરે ! લોકોએ નવા નવા વાડા બાંધી, જૈન ધર્મનું મૂળ તત્ત્વ આખું પીંખી નાખ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy