SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ જીવ માત્ર પોતાના શુભાશુભ કર્મના બદલારૂપ સુખ-દુઃખને ભોગવે છે છતાં બીજા સુખ-દુઃખ આપે છે એમ વિપરીત માનવું તે મિથ્યાત્વ. • સાચા દર્શનનું ઉલટું તે મિથ્યાત્વ એટલે યથાર્થ શ્રદ્ધાનો અભાવ એટલે અયથાર્ય વસ્તુનું શ્રદ્ધાન. મિથ્યાત્વનું સ્વરૂપ * મિથ્યા દર્શનાદિથી જીવને સ્વ-પરનો વિવેક થઈ શકતો નથી. કે પોતે એક આત્માતથા અનંતપુદ્ગલપરમાણમય શરીર એના સંયોગરૂપ મનુષ્યાદિક પર્યાય નિપજે છે તે પર્યાયને જ પોતાનું સ્વરૂપ છે. * આત્માના જ્ઞાનદર્શનાદિ સ્વભાવ છે તે વડે કિંચિત જાણવું દેખવું થાય છે, કર્મ ઉપાધિથી થયેલા ક્રોધાદિ ભાવરૂપ પરિણમન થાય છે અને શરીરનું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે તથા સ્કૂલકૃષાદિક સ્પર્ધાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. * શાનદર્શનની પ્રવૃત્તિ ઈદ્રિય અને મન દ્વારા થાય છે. તેથી આજીવએમ માને છે કે ત્વચા, જીભ,નાસિકા, નેત્ર, કાન, અને મન એ બધાં મારા અંગ છે, એ વડે હું દેખું-જાણું છું, એવી માન્યતાઓથી ઈન્દ્રિયોમાં પ્રીતિ હોય છે. આજીવ અનાદિકાળથી કર્મસંબંધસહિત છે. તેને દર્શનમોહના ઉદયથી થયેલું જે અતત્ત્વશ્રદ્ધાનતેનું નામ મિથ્યાદર્શન છે. શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ તેનો જે ભાવ અર્થાત સ્વરૂપ તેનું નામ તત્ત્વ છે અને તત્ત્વ નથી તેનું નામ અતત્વ છે. તેથી અતત્વ છે તે અસત્ય છે તેનું જ નામ મિથ્યા છે. વળી “આ આમ જ છે' એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાન છે. * અહીં શ્રદ્ધાનનું નામ જ દર્શન છે. જો કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે તો પણ અહીં એ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો. * હવે મિધ્યારૂપ દર્શન અર્થાતુશ્રદ્ધાનતેનું નામ જ મિથ્યાદર્શન છે. જેવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું એવો વિપરીતાભિનિવેશ અર્થાત્ વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યાદર્શન હોય છે. • સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અસંયમ છે. દર્શનમોહના ઉદયથી થયેલા અન્ધશ્રદ્ધાન મિથ્યાદર્શન છે. તેનાથી વસ્તુ સ્વરૂપની યથાર્થ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy