SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ સ્વાનુભવમાં સર્વ તરફ એક જ્ઞાનધન, અનંત જ્ઞાનમય આત્મા પોતે જ છે; એમ નિર્વિકલ્પભાવે સ્વાનુભવ છે. તેને ભેઠથી એમ સમજાવાય છે કે ‘શુદ્ધ સ્વભાવનું અવલંબન છે અને જ્ઞાનનો જ્ઞાનમાં જ્ઞાનને અનુભવ છે’. પરંતુત્યાં જ્ઞાન અને આત્માનો ભેઠ અનુભવાતો નથી. કારણ કે આત્મા સ્વભાવે કરી સર્વતઃ એક વિજ્ઞાનધનપણે છે. તેથી જ તે જ્ઞાનપણે સ્વાઠમાં આવે છે, અનુભવાય છે. તેમજ જ્ઞાન (પર્યાય) અને આત્મ દ્રવ્યનો ભેઠ પણ ત્યાં અનુભવાતો નથી. અનુભવ-ભાવમાં તો ‘આત્મામાં આત્માને નિશ્ચય પણે સ્થાપીને, નિર્વિકલ્પ થઈને અભેદ ભાવે સ્વાનુભવ છે’. આવો ‘સ્વાનુભવ’ ભાવશ્રુતજ્ઞાન રૂપ છે. તેથી તે સર્વને સુગમ છે. વીતરાગી સંતાએ અતિ સુગમ શૈલીમાં, ‘જ્ઞાન છે તે આત્મા અને આત્મા છે તે જ્ઞાન છે’ એમ કહ્યું છે. સ્વભાવ : (આત્મસિદ્ધિ શાસ્ત્ર) જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. • લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહિ પરમાર્થને, લેવા લોક્તિ માન. ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, ફ્ક્ત કર્મ પ્રભાવ. • દેહાદિક સંયોંગનો, આત્યંતિક વિયોગ: સિદ્ધ મોક્ષ શાશ્વત પઢે, નિજ અનંત સુખભોગ. ♦ વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ. • કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. Jain Education International For Personal & Private Use Only -૧૫ -૨૮ - ૭૮ -૯૧ -૧૧૧ -૧૧૩ www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy