SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ વસ્તુ વિચારત ચાવી; મન પાલે વિશ્રામ રસસ્વાઠત સુખ ઉપજે, અનુભવ તાકો નામ. અહા! વસ્તુ આત્મા જે અતીંદ્રિય આનંદનોનાથ છે તેનો વિચારકરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ અનુભવ કહે છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચયકરવાની પ્રધાનતા છે, શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાનનું અહીં કામ નથી. આત્મા-પુણ્ય પાપથી ભિન્ન પડી અંતર અનુભવ વડે અનાકુળ શાંતિ અને આનંદ ઉત્પન્ન કરી શકે અને એ જ નિશ્ચયધર્મ છે. વેઠન, અનુભૂતિ પર્યાય, ઉપયોગનો, આધ્યાત્મિક અર્થ ‘અધ્યાત્મ તત્ત્વ’ જે શુદ્ધાત્મા તેના આશ્રયે એકાર્યવાચીપણે કરી શકાય છે અને સાધકની દૃષ્ટિ તે તે દશાવાન અનામી આત્મા પ્રત્યે અવશ્ય સંકેત કરે છે. તેથી તે આત્માનું લક્ષ કરવું જોઈએ તે નિર્વિવાદ છે. ♦‘‘અનેક જ્ઞેયરૂપી પદાર્થોની સત્તાની આકૃતિ રૂપે જે જ્ઞાન પર્યાય પરિણમી છે તેવા જ્ઞેયાકાર જ્ઞાનની ગૌણતા કરીને, જ્ઞાનસત્તામાત્ર એવું જે નિજસ્વરૂપ તેની મુખ્યતા કરીને તેનો અનુભવ કરવો જોઈએ’’. જ્ઞાન પરને જાણતું નથી તેમજ જ્ઞાન સ્વ- પર પ્રકાશક છે. એ બન્ને વાતમાં કેવી રીતે અવિરોધિતા છે. તેનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. 44 ‘જ્ઞાન જ્ઞાનને જાણે; અન્યને જાણતું નથી; જ્ઞાન અન્યનું નથી; વગેરે પ્રકારે ક્શન આવે છે; ત્યાં પણ ‘જ્ઞાનવેદન’ અર્થાત્ ‘અનુભવ’ કહેવા ધારે છે, તેમ સમજવા યોગ્ય છે. તેમજ ‘જ્ઞાન જ્ઞાનને જાણે છે’ તેમાં એક જ્ઞાનની પર્યાય થઈ ગયેલી બીજી જ્ઞાનની પર્યાયને જાણે છે, તેમકહેવાનો અભિપ્રાય નથી; પરંતુ પરલક્ષના અભાવમાં, ત્રિકાળીના લક્ષે ઉત્પન્ન વર્તમાન જ્ઞાન, સ્વયં પોતાને સ્વરૂપે વેઠતું ઉત્પન્ન યાય છે. આમ ત્રિકાળીના જ્ઞાનનું સ્વપણે વેઠન, તે જ સ્વસન્મુખતા અથવા અંતર્મુખતા છે’”. આ જ ભાવાત્મક રહસ્ય છે. વળી શાન જાણવા પ ભાવે પરિણમે છે અને વેઠવા અર્થાત્ અનુભવ ભાવે પણ પરિણમે છે. ત્યાં જ્ઞાનની સ્વ- પર પ્રકાશક શક્તિમાં માત્ર જાણવારૂપ ભાવની વાત છે; કારણ કે જ્ઞાન પરને વેઠી-અનુભવી શકતું જ નથી. પર શેયાકાર જ્ઞાનને પર પ્રકાશક કહે છે; ત્યારે પણ પોતે પરથી ભિન્ન જ્ઞાયકપણે જણાયો એટલે વેઠાયો, તેમ લેવાનું છે. તેથી જ આ પ્રકારે પરથી ભિન્નપણે ઉપાસવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy