SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨3૧. દૂરવર્તી - સમીપવર્તી બધાને જાણી લે છે. છતાં પણ શેયેની અશુદ્ધતા સારી ખરાબ વસ્તુ જ્ઞાનમાં આવતી નથી. દા.ત. આપણી સામે જે ભીંત ઉભી છે, તે જ્ઞાનમાં જણાઈ. હવે એ ભીંતકાંઈ ત્યાંથી ખસીને જ્યાં જ્ઞાન (આત્મા) છે ત્યાં આવી નથી અને જ્ઞાન (આત્મા) એને જાણવા માટે પોતાથી હટીને ભીંત સુધી ગયો નથી. છતાં પણ જ્ઞાન (આત્મામાં) જ્ઞાનમાં જ રહીને એ ભીંતને જાણે છે અને એ ભીંતની અશુદ્ધતા એ જ્ઞાનમાં આવતી નથી. આત્માના જ્ઞાનનું આવું એક અચિંત્ય અદ્દભૂત આશ્ચર્યકારી સ્વભાવ છે. એ સિવાય એ એક પણ વિશેષતા છે કે આત્માની પરને જાણવાની પ્રક્રિયા પણ જ્ઞાનના પર સન્મુખતાપૂર્વક નથી થતી. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક હોવાને કારણે, એ જ્ઞાનની પર્યાયમાં તત્સમયની યોગ્યતા અનુસાર, જે શેયોના આકાર પ્રતિબિંબીત થઈ રહ્યા છે તે શેયોના આકારરૂપ પરિણમન પોતાના જ્ઞાનાકારોને સ્વ સન્મુખતાપૂર્વક જાણવાના સમયે જ્ઞાન તેમને પણ જાણી લે છે.. પર સન્મુખ થઈને પરને જાણવાનો સ્વભાવ જ નથી. પરંતુ આવા જ્ઞાનના સ્વભાવની શ્રદ્ધા નહિ હોવાથી, પોતાની વિપરીત શ્રદ્ધાને કારણે, એ જોયોને જાણવાના સમયે એ શેયોમાં ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરીને એમને પ્રાપ્ત કરવા કે એમને હટાવવી, દોડ લગાવતો નિરંતર દુઃખી દુઃખી થઈ રહ્યો છે. ખરેખર તો જ્ઞાન - જ્ઞાનને જ (આત્માને) જાણે છે. સ્વને જાણતા પર શેયો પોતાની મેળે જણાઈ જાય છે - જ્ઞાન પરને જાણતો નથી. જ્ઞાનાકારની બાજુથી જોતાસ્વને જાણે છે, યાકારની બાજુથી જોતા પરને જાણે છે, પણ જાણે છે તે જ્ઞાન જ છે. 2. નનું સ્વરૂપ શું? ઉ. જાણવું તે (જાણવામાં રાગદ્વેષતે જ્ઞાનનું સ્વરૂપ નથી) આને જાણું છું એમ બોલાય પણ ખરેખર પરને નહિ પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે. - આત્મધર્મ વ.૧ અંક વૈશાખ ૨૦૦૦ પાનું ૧૦૨ સર્વત્ર જ્ઞાનનું જ ચમકવું છે. કોઈ જીવ પરને ભોગવી શકતો તો નથી, પણ કોઈ પરનું વર્ણન પણ કરી શક્તો નથી; માત્ર પોતે પરનું જે જ્ઞાન કર્યું છે તેનું પોતાના શાનનું) વર્ણન કરી શકે છે. જ્ઞાન ગુણ સિવાય એક ગુણનું વર્ણન થઈ શકતું નથી; સુખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy