SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ * ૬ ઃ એ તો જોવાવાળાની ઇચ્છા છે કે એ દર્પણને મુખ્યકરીને જુએ અથવા એમાં જોવામાં આવતા અન્ય પદાર્થોને મુખ્ય કરીને એમને જુએ. પરંતુ દર્પણમાંતો બન્નેનો એક જ સાથે પ્રકાશિતપણું છે. આવી જ રીતે આત્માના જ્ઞાન ગુણની દરેક પર્યાયમાં દર્પણની જેમ એક જ સાથે સ્વ અને પર બન્ને જ્ઞેય રૂપથી વિદ્યમાન છે. પરંતુ જ્યારે આ આત્મા એ જ્ઞાન ગુણની પર્યાય દ્વારા પોતે પોતાને જાણતો થકો, તેમાં તો સ્વ અને પર એક સાથે વિદ્યમાન હોવા છતાં પણ-આત્મા પોતાનીરુચિ અનુસાર જેને મુખ્યરે છે તે જ એને જાણવામાં આવતા દેખાવા લાગે છે અને અન્યનું અસ્તિત્ત્વ જ નહિવત્ થઈ જાય છે, દર્પણની જેમ જ. આ રીતે જીવ દ્રવ્યનો સ્વભાવ જ્ઞાનની મુખ્યતાથી ઉપરોક્ત પ્રકારથી માત્ર જાણવાનું જ છે. એ જાણવાની પ્રક્રિયા પણ ઉપર કહ્યા પ્રમાણે સ્વને જાણતા થકા પરનું પણ જ્ઞાન થઈ જાય એવી છે. • આવા સ્વભાવમાં આત્માએ બની રહેવું એ જ જીવદ્રવ્યોકે આત્મા કહો, તેનો આ જ ધર્મ છે, આ જ વસ્તુનો સ્વભાવ છે. આ જ્ઞાનની જાણવાની પ્રક્રિયા સમજવાથી શ્રદ્ધામાં નિઃશંકતા આવે છે અને તેના લીધે જીવનિર્ભય થાય છે, નિર્બાર થાય છે. આરીતે આત્માનો સ્વભાવ માત્ર જ્ઞાયક જ છે, કર્તા ભોક્તા નથી. જો મારો આત્મા પોતાના સ્વભાવરૂપ જ પરિણમન કરતો રહે, આખા જગતથી ઉપેક્ષિત રહીને માત્ર સ્વજ્ઞેયને મુખ્ય બનાવી સ્વજ્ઞેયનો જ જ્ઞાતા બની રહે તો આકુળતા અર્થાત્ રાગદ્વેષની ઉત્પત્તિનો અવકાશ જ ન રહેતા પરમ નિરાકુળ રૂપી સુખામૃતનો સ્વાઠી અનંતકાળ સુધી રહી શકે છે. = સ્વ ચતુષ્યમાં પર પતુષ્યની નાસ્તિ ઃ • દરેક વસ્તુ સ્વતંત્ર, સ્વાધીન અને પોતાનું કાર્ય પૂર્ણકરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. તે બીજી વસ્તુની પંચ માત્ર પણ અપેક્ષા રાખતી નથી. દરેક દ્રવ્ય કે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવમાં જ નિરંતર પરિણમનકરતી રહે છે. પોતાના સ્વ ચતુષ્ટને છોડીને પર દ્રશ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારે પહોંચતી નથી. તો પછી બીજાનું પરિણમન તો કેવી રીતે કરી શકે ? સ્વ ચતુષ્ટ અર્થાત્ દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાંની સત્તાથી અલગ અલગ છે. તેનું પોતાનું ઉત્પાદન સ્વયંમાં જ થાય છે, એ પોતાના પ્રદેશો રૂપ સ્વક્ષેત્રમાં જ રહે છે . એનું પરિણમન હર સમયે સ્વકાળમાં જ થાય છે અને દરેક દ્રવ્યનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy