SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ આવા પ્રકારની દ્દઢ શ્રદ્ધા ઉત્પન્ન થવાથી જગતના સમસ્તયો પ્રતિ, એ કોઈ પણ હોય, કેવા પણ હોય, ક્યાં પણ હોય. અત્યંત ઉપેક્ષાવર્તતી લાગે છે. એમના પ્રત્યે ઉત્સાહની નિવૃત્તિ ઉભી થાય છે, કતૃત્ત્વબુદ્ધિનો અભિપ્રાય તૂટવા લાગે છે, એના ફળસ્વરૂપ તેઓ સંબંધી આકુળતા ઉભી થવાનો અવકાશ જ રહેતો નથી. એટલે પરિણતિમાં અત્યંત શાંતિવર્તવા લાગે છે. એનું જ નામ આત્મિક સુખ છે, આ સુખ વધતો વધતો પૂર્ણ સુખરૂપ સ્વરૂપ પરિણમન થઈ જાય છે. આ જ આત્માનો પરમ સ્વભાવરૂપ ધર્મ છે. પરંતુ જ્યારે આ આત્મા પોતાનો જાણવા રૂપ સ્વભાવનો વિશ્વાસ ભૂલીને, જે શયો જ્ઞાનના જાણવામાં આવે છે, એમના કાર્યનો, પોતે પોતાને ર્તા માનવા લાગે છે. આ વિપરીત (ખોટી) માન્યતાને લીધે આ શેયો એને અનુકુળનથી પરિણમતા ત્યારે સ્વયં આકુળતા ઉત્પન્ન કરી લે છે અને દુઃખી થતો રહે છે. કારણકે અન્ય દ્રવ્યો તો સ્વતંત્ર છે, એને આધીન નથી, એટલી વિપરીત માન્યતાથી દુઃખી થતો રહે છે. નિષ્કર્ષ એ છે કે આત્મા તો સુખી જ છે. એનો સ્વભાવ દુઃખી રહેવાનો છે જ નહિ, એટલે સુખ ક્યાંથી લાવવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી. પરંતુ પોતાની વિપરીત (ખોટી) માન્યતા બદલાવીને અર્થાત્ પરનો કર્તા, ભોક્તાન માનીને, માત્ર જ્ઞાતા માનતો રહે જેથી દુઃખ ઉત્પન્ન થવાનું જ બંધ થઈ જાય. તો પછી આત્મા તો સુખી જ છે. અન્ય પદાર્થોમાથી એકત્ત્વ બુદ્ધિ, મમત્ત્વ બુદ્ધિ, કતૃત્ત્વ બુદ્ધિ, ભોકતૃત્ત્વ બુદ્ધિ, શેયર્વે બુદ્ધિ કાઢી નાખવાથી સુખની ઉત્પત્તિ થાય છે. આનાથી ધર્મની ઉત્પત્તિ થાય છે. I જ્ઞાન પર્યાય સ્વ-પર પ્રકાશક કેમ કહેવામાં આવે છે? જ્ઞાનની પર્યાયનું સ્વભાવ જ એવું અદભૂત છે કે એ જ્યારે જ્યારે જાણવાનું કાર્ય કરે છે, એક જ સાથે સ્વ અને પર બેઉને જાણતી જ પ્રગટ થાય છે, ન એકલી સ્વને અને ન એકલી પરને જાણે છે. એટલે આપશ્નર ઉર્જાયનું સ્વ સામર્થ્ય છે કે એને એક જ સમયે સ્વસ્થ અને પરબન્નેનું એકી સાથે જ્ઞાન થાય છે. જેવી રીતે દર્પણામાં પ્રકાશિત થવાવાળા અન્ય પદાર્થોનું જોવાપણું સહજ સ્વાભાવિક જ થાય છે, એ જોવામાં આવ્યા વિના રહેતા નથી. કારણ કે દર્પણાનો સ્વભાવ જ એવો છે કે એ એકલો પોતે પોતાને બતાવી શક્તો નથી. જેવાવાળો જો ફક્ત દર્પણને જ જોવા ઇચ્છે તો પણ પરનું દર્શન પણ ત્યાં વિદ્યમાન જ રહે છે. એટલે દર્પણને જોવાવાળાને દર્પણની સાથે સાથે પર શયોના પણ દર્શન થયા વિના રહેતા નથી. (રહી શકતા નથી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy