SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ ૭ અનાદિ અનંત આ બધા દ્રવ્યો પોતાના અસ્તિત્ત્વને ટકાવીને જ કોઈ આપસમાં એક બીજાના પરિણમનમાં કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ, સહાય, મદદ અને બાધરૂપ નથી થતાં અને પોતપોતાનું પરિણમન જ કરતાં રહે છે. આ જ એ બધી વસ્તુઓનો નિજ ધર્મ છે. એ પ્રમાણે જ બીજા દ્રવ્યોથી વિલક્ષણ અસાધારણ ચૈતન્ય સ્વભાવ અર્થાત્ સ્વ અને પરને જાણવારૂપ અચિંત્ય સામર્થ્યવાન સ્વભાવનો ધારક એક દ્રવ્ય છું. મને પોતાને જાણતો થકો મારા પોતાના અચિંત્ય સામર્થ્યવાન જ્ઞાન, સુખ આદિ અનંતગુણોની મહાન સંપદા સહિત અનાદિ અનંત જગતના બધા દ્રવ્યોથી મહાન સત્પથી બધાને જાણતો થકો બિરાજમાન છું. એ બધા દ્રવ્યો સાથે મારે કોઈ સંબંધ હોય તો એટલો પવિત્ર સંબંધ છે કે હું જેવા તેઓ પરિણમન કરતાં વિદ્યમાન છે એમને માત્ર જાણી લઉં અને જ્યારે હું તેમને જાણું તો તે મારા જ્ઞાનના ફક્ત જ્ઞેય જ રહે. • તે સિવાય એમના કાર્યમાં કેાઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ, ફેરફાર અથવા વધઘટકરવાનો ન મનેકે એમને કોઈ પણ પ્રકારનો અધિકાર છે. કરતાં પણનથી અને કરી શકતા પણ નથી. વાસ્તવિક સ્થિતિ એ છે કે જગતમાં જો કોઈ જાણવાવાળો પદાર્થ જ ન હોય તો એ દ્રવ્યના અસ્તિત્ત્વની પ્રસિદ્ધિ કોણ કરે. એટલે વિચાર કરો, કિંમત કરવા લાયક પદાર્થ તે જ થઈ શકે છે જે બીજાના અસ્તિત્ત્વને પ્રસિદ્ધ કરે છે અથવા તો એમ થશે કે એમની પ્રસિદ્ધિ એમને જાણવાવાળો નહિ કરે તો જગતમાં એમનું અસ્તિત્ત્વ જ સિદ્ધ નહિ થાય. જે જ્ઞેય પદાર્થોને મારું જ્ઞાન જાણે છે તે પદાર્થો મારા માટે કિંમત કરવા યોગ્ય છે અથવા હું જે મારા પોતાના અસ્તિત્ત્વને જાણતો થકો અન્ય પદાર્થ અર્થાત્ જ્ઞેયોના અસ્તિત્ત્વને પણ જાણું છું. આપ્રમાણેઉપરોક્તવિચારોના માધ્યમથી, આગમના અભ્યાસના આધારથી તથા પોતાના સ્વયં અનુભવથી ઉપરોક્ત સત્યતા પ્રમાણીત કરીને શ્રદ્ધામાં એવી દ્દઢતા, વિશ્વાસ અને નિર્ણય ઉત્પન્ન થાયકે જગતમાં ‘‘હું જ એક મારા માટે ઉત્કૃષ્ટ મહિમાવાન પઢાર્થ છું, મારા જ્ઞાનમાં જાણવામાં આવતા જેટલા પણ જ્ઞેય છે તે બધા મારાથી ભિન્ન રહીને પોત પોતાના ગુણ પર્યાયોમાં અનેક પ્રકારના વેષ બદલાવતા પરિણમી રહ્યા છે, એમની પણ પ્રસિદ્ધિ કરવાવાળું મારું જ્ઞાન તો છે. એટલે તેઓ કોઈ પણ વેષ ધારણ કરીને મારા જ્ઞાનની સન્મુખ ઉપસ્થિત થાય, મારા જ્ઞાનને જરાપણ વિચલીતનથી કરી શક્યાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy