SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું જ્ઞાન જે ઈન્દ્રિયોના માધ્યમથી કાર્ય કરે. અતીન્દ્રિય જ્ઞાનનો અર્થ એમ છે કે જે જ્ઞાન ઈન્દ્રિયોનો માધ્યમને લઈ સીધો પોતાના વિષયનું જ્ઞાન કરી લે. જ્યારે જ્ઞાન દ્રવ્યાર્થિક નયના વિષયભૂત આત્મતત્ત્વને વિષય બનાવે છે, ત્યારે ઈન્દ્રિયોનું માધ્યમનથી હોતું, જ્ઞાન પર્યાયસીધું કોઈપણ માધ્યમવગર પોતાના વિષયનો જ્ઞાન કરી લે છે. આ જ કારણથી એ જ્ઞાનનું નામ અતીન્દ્રિયજ્ઞાન છે. તે જ્યારે જ્ઞાન સ્વયને છોડીને પરલક્ષી થાય છે અર્થાત્ પર સન્મુખ થાય છે તે સમયે જ્ઞાન પોતાના વિષયને ઈન્દ્રિય કે મનના માધ્યમથી જ જાણી શકે છે, સીધો વિષય બનાવી રાકતા નથી. માટે પર લક્ષી જ્ઞાન કેવું પણ અને કેટલું પણ, એ બધુંજ ઈન્દ્રિયજ્ઞાન કહેવામાં આવે છે. આત્માનું પર લક્ષી જ્ઞાન પોતાની તે સમયની યોગ્યતાનુસાર જે કોઈપણ જોયને વિષય બનાવવામાં પ્રવૃત થશે, તો પાંચ ઈન્દ્રિયો અને મને આછ માંથી કોઈપણ એક વચ્ચે માધ્યમ તરીકે આવી જ જશે. પરલક્ષી જ્ઞાનની યોગ્યતા જ એવી છે કે એ ઈદ્રિયો અને મનના માધ્યમથી જ પોતાના વિષયનું લક્ષ કરી શકે. આ પ્રમાણે જ્ઞાન પ્રવર્તનમાં ઈન્દ્રિયાદિએ અંશ માત્ર પણ કોઈ મદદ સહાયતા જ્ઞાનને આપી નથી. પર લક્ષી જ્ઞાનની આ પરાધીનતા અવશ્ય છે કે એ ઈન્દ્રિયાદિને વચમાં લાવ્યા વગર સીધું કાર્ય કરી શકતું નથી. દરેક સ્થિતિમાં જાણવાનું કાર્ય તો આત્માનું જ છે, ઈન્દ્રિયોનું નથી. ઈન્દ્રિય જ્ઞાન અજ્ઞાનીને રાગ અને બુદ્ધિનો ઉત્પાદક છે. અજ્ઞાનીના ઈન્દ્રિયજન્યજ્ઞાનમાં ઉપાદેય બુદ્ધિ હોય છે તથા તેના વિષયભૂત પદાર્થોમાં સુખબુદ્ધિ હોય છે. મનજન્યજ્ઞાન પણ આત્માનાં અત્યંત ઘાતક છે. કર્મબંધનમાં મુખ્ય ભૂમિકા મનજન્ય જ્ઞાનની જ છે. મનજન્ય ઈન્દ્રિયજ્ઞાન પ્રતિ એકત્ત્વબુદ્ધિ અત્યંત સૂક્ષ્મ બની રહે છે. : જીવ નામની વસ્તુનો સ્વભાવ આત્મા એકદ્રવ્ય છે. એમાં અનંતગુણ, સ્વભાવ અર્થાત્ ધર્મ છે. આગમમાં જીવનું લક્ષણઉપયોગો લક્ષણમ્' અર્થાત્ જીવને ઓળખવા માટે જીવનો અસાધારણ લક્ષણ ઉપયોગ” છે. • ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપારરૂપ પ્રવર્તન. તાત્પર્ય એ છે કે આત્માનું જ્ઞાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy