SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ મતિઃ મન અગર ઈન્દ્રિયોથી, વર્તમાન કાળવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત જાણવો તે મતિ છે. સ્મૃતિ પહેલાં જાણેલાં, સાંભળેલાં કે અનુભવ કરેલા પદાર્થોનું વર્તમાન સ્મરણ આપે તે સ્મૃતિ છે. સંજ્ઞા તેનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં આ પદાર્થ એ જ છે કે જેને પહેલાં જોયો હતો એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને સંશા કહે છે. ચિંતા ચિંતવન જ્ઞાન અર્થાત્ કોઈ ચિન્હને દેખીને અહીંતે ચિન્હવાળો જરૂર હોવો જોઈએ એવો વિચાર તે ચિંતા છે. આ જ્ઞાનને ઊહા, તર્ક અથવા વ્યાપ્તિજ્ઞાન પણ કહે છે. અભિનિબોધ સ્વાર્થનુમાન-અનુમાન એ તેનાં બીજાં નામ છે. સન્મુખ, ચિન્હાદિ દેખી તે ચિન્હવાળા પદાર્થનો નિર્ણય કરવો તે “અભિનીબોધ' છે સંવેદન, બુદ્ધિ, પ્રતિભા, મેઘા, પ્રજ્ઞા વગેરે મતિજ્ઞાનના ભેદ છે. સ્વસંવેદનઃ સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન તે સ્વસંવેદન છે. બુદ્ધિઃ બોધનમાત્રપણું તે બુદ્ધિ છે. બુદ્ધિ, પ્રતિભા, પ્રજ્ઞા એ મતિજ્ઞાનની તારતમ્યતા (હીન-અધિકપણું) સૂચક જ્ઞાનના ભેદો છે. જેણે આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કર્યું ન હોય તે આત્માનું સ્મરણ કરી શકે નહિ; કેમકે સ્મૃતિ તો પૂર્વે અનુભવેલા પદાર્થની જ હોય છે તેથી અજ્ઞાનીને આત્મસ્મરણ હોતું જ નથી, પરંતુ રાગ’ મારે એવી પક્કડનું સ્મરણ હોય છે કેમકે તેનો તેને અનુભવ છે. ક્ષાયોપથમિક જ્ઞાન (ઉઘાડ) ની યોગ્યતાને અનુસરીને જ્ઞાન થાય છે, જ્ઞાન થવાનું કારણ છે. વસ્તુને અનુસરીને જ્ઞાન થતું નથી તેથી વસ્તુજ્ઞાન થવામાં નિમિત્ત કારણ નથી એમ સમજવું. જે જ્ઞાનની ક્ષયોપશમ લક્ષણ યોગ્યતા છે તે જ વિષય પ્રત્યે નિયમરૂપ જ્ઞાન થવાનું કારણ છે એમ સમજવું. ઈન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિય જ્ઞાન જ્ઞાનની ક્રિયામાં ઈન્દ્રિય અને અતિન્દ્રિય એવા ભેદજનથી. જ્ઞાનતો જ્ઞાન જ છે. એ આત્માની ક્રિયા છે અને આત્મા દ્વારા જ થાય છે. ઈન્દ્રિયો તો શરીરનો એક ભાગ છે, શરીર અચેતન છે એટલે ઈન્દ્રિયો પણ અચેતન છે. માટે ઈન્દ્રિયો જ્ઞાનની ઉત્પાદક નથી. ઈન્દ્રિય જ્ઞાનનો અર્થ એમ છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy