SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ • સત્યને પ્રગટ કરવાના ઉપાય: ક સુધારો જગતનો નહિ પરંતુ આપણી દૃષ્ટિનો, આપણા જ્ઞાનનોકરવાનો છે. સત્યની નવી ઉત્પત્તિ કરવાની નથી. સત્ય તો છે જ. જે જેવું છે તે સત્ય જ છે. એને યથાર્થ જાણવાનું અને માનવાનું છે. સાચું યથાર્થ જાણવું અને માનવું એ જ સત્ય પ્રાપ્ત કરવારૂપ છે અને આત્મસત્યને પ્રાપ્ત કરી રાગ-દ્વેષનો અભાવ કરીને વીતરાગતા રૂ૫ પરિણતી પ્રાપ્ત થવી એ સત્યધર્મ છે. * દોષ જ્યાંથયો હોયત્યાંથી દૂર કરવો જોઈએ. જ્યાંથયોજન હોય ત્યાંથી દૂર કરવાના વ્યર્થ પ્રયત્નથી શું લાભ? ડાઘચહેરા પર છે અને દેખાય છે દર્પણમાં. કોઈ દર્પણને સાફ કરે તો ડાઘ જશે નહિ. ડાઘ દૂર કરવા માટે ચહેરો ધોવો જોઈએ. * વસ્તુતઃ તો કેવું છે તેવાનું નામ જ સુંદર છે. વસ્તુ જેવી છે તેવી જાણવાનું નામ સત્ય છે. ભલી બુરી જાણવાનું નામ સત્ય નથી. વસ્તુમાં ભલા બુરાનો ભેદ કરવો એ રાગદ્વેષનું કાર્ય છે. જ્ઞાનનું કાર્ય તો વસ્તુ જેવી છે તે જાણવાનું જ છે. માટે માત્ર જાણતા જ રહો... અસત્ય યા તો વાણીમાં હોય છે અથવા તો જ્ઞાનમાં, વસ્તુમાં નહિ. વસ્તુમાં અસત્યની સત્તા જ નથી. આપણા જ્ઞાન અને વાણીને વસ્તુ સ્વરૂપ અનુરૂપ બનાવવાની છે. ત્યારે તે સત્ય હશે. જ્યારે આત્મા સત્ સ્વભાવી આત્માના આશ્રયે વીતરાગ પરિણતિને પ્રાપ્ત થશે ત્યારે તે સત્ય ધર્મનો સ્વામી બનશે. જેટલા અંશે પ્રાપ્ત થશે એટલા અંશે સત્ય ધર્મનો સ્વામી બનશે. વાણીની સત્યતા માટે વાણીને વસ્તુસ્વરૂપને અનુકૂળ ઢાળવાની છે. સત્ય બોલવા માટે સત્ય જાણવું જરૂરી છે. તે વિના સત્યકેમ બોલાય? પ્રયોજનભૂત તત્ત્વોના વિષયમાં બેલવામાં આવેલું જૂઠતો મહા પાપ છે. અનંત સંસારનું કારણ છે, પોતાનું અને પરનું ભારે અહિત કરનારું છે. માટે મુક્તિ માર્ગમાં સત્ય જાણવું, માનવું, બોલવું જરૂરી છે. * અંતરમાં વિદ્યમાન જ્ઞાનાનંદ સ્વભાવી ત્રિકાળી ધ્રુવ આત્મ તત્ત્વ જ પરમ સત્ય છે. તેના આશ્રયે ઉત્પન્ન થયેલું જ્ઞાન, શ્રદ્ધાન અને વીતરાગી પરિણતિ જ ઉત્તમ સત્ય ધર્મ છે. * વસ્તુના સ્વરૂપની સાચી સમજનું નામ ધર્મ છે. સત્યને સમન્વયની નહિ સમજવાની જરૂર છે. સત્ય અને શાંતિ સમજથી મળે છે, સમન્વયથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy