SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪૭ ઉત્તમ શબ્દ મિથ્યાત્વનો અભાવ અને સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. મિથ્યાત્વના અભાવ વિના તો સત્ય ધર્મની પ્રાપ્તિ થવી જ સંભવિત નથી. સ્વરૂપ જ્યાં સુધી આત્મવસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહિ ત્યાં સુધી સત્ય ધર્મની ઉત્પત્તિ જ સંભવિત નથી. આ વસ્તુની સાચી સમજ આત્મ અનુભવ વિના સંભવિત નથી. આત્મ વસ્તુના જ્ઞાનની સાથે સાથે તો અનુભૂતિ પણ આવશ્યક છે. અનુભૂતિ વિના સમ્યફ આત્મજ્ઞાન સંભવિત નથી. ઉત્તમ સત્ય એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત વીતરાગ ભાવ • સત્ય બોલવું એતો નિશ્ચયથી સત્યધર્મ છે જ નહિ, પરંતુ માત્ર સત્ય જાણવું, સત્ય માનવું એ પણ વાસ્તવિક સત્ય ધર્મ નથી; કારણ કે એ તો જ્ઞાન અને શ્રદ્ધાગુણની પર્યાયો છે. જયારે સત્ય ધર્મ એ તો ચારિત્રગુણની પર્યાય છે, ચારિત્રની દશા છે. સાચી સમજપૂર્વક અને સાચી શ્રદ્ધાથી ઉત્પન્ન થતી વીતરાગ પરિણતી એ જ નિશ્ચયથી ઉત્તમ સત્ય ધર્મ છે. સત્ એટલે જેની સત્તા છે. જે પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એસત્યશ્રદ્ધાન છે, તેવો જ કહેવો એ સત્ય વચન છે; અને આત્મસ્વરૂપના સત્ય શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક વિતરાગી ભાવની ઉત્પત્તિ થવી એ સત્ય ધર્મ છે. વસ્તુતઃલોકમાં જે કાંઈપણ છે તે સર્વ સત્ છે, અસત્ કાંઈપણ નથી. પરંતુ જગતમાં અસત્યનું સામ્રાજ્ય જોવામાં આવે છે, એવું લાગે છે. આ તો જોવાની દ્રષ્ટિનો દોષ છે, વસ્તુ સ્વરૂપનોનહિ. સત્ય તો એને જ કહે છે જેની લોકમાં સત્તા હોય. વસ્તુતઃ જગત પીળું નથી, પરંતુ આપણને કમળો થઈ ગયો છે તેથી જગત પીળું દેખાય છે. આ પ્રમાણે જગતમાં અસત્યની સત્તા જ નથી, પરંતુ અસત્ય તો આપણી દષ્ટિમાં એવું તો ભળી ગયુ છે કે તે જગતમાં દેખાવા માંડે છે. સર્વત્ર સત્યનું સામ્રાજ્ય છે. સત્ય શું છે? ‘આ ઘટ છે આમાં ત્રણ પ્રકારની સતા છે. 'ઘટ' નામના પદાર્થની સત્તા છે, “ઘટ ને જાણનાર જ્ઞાનની સત્તા છે અને ઘટ શબ્દની પણ સત્તા છે. જેમની સત્તા છે તે સર્વ સત્ય છે. આ ત્રણેયનો સુમેળ હોય તો જ્ઞાન પણ સત્ય, વાણી પણ સત્ય અને વસ્તુ તો સત્ય છે જ. તેથી એ સિદ્ધ થયું કે અસત્ય વસ્તુમાં નથી; એને જાણવાવાળા જ્ઞાનમાં છે; માનવાવાળી શ્રદ્ધામાં છે અથવા કહેવાવાળીવાણીમાં હોય છે. અજ્ઞાનીઓના જ્ઞાન,શ્રદ્ધાન અને વાણી સિવાય લોકમાં અસત્યની સત્તા જ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy