SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ⭑ ⭑ ⭑ ૨૪૪ ⭑ વક્રતા છે. આ જ રીતે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું ન માનતા તેનાથી વિપરીત માનવું અને એવું જ પરિણમન કરવાનું ઈચ્છવું એ વિરૂપતા છે. આ બધી આત્માની વક્તા, કુટિલતા અને વિરૂપતા છે. આ વક્રતા, કુટિલતા અને વિરૂપતાતો વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ સમજવાથી જ દૂર થાય. જેવો આત્માનો સ્વભાવ છે તે તેવો જ જાણવો, તેવો જ માનવો અને તેમાં જ તન્મય બની પરિણમી જવું – એ જ વીતરાગી સરળતા છે, ઉત્તમ આર્જવ છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સમ્યક્ અને એકરૂપ પરિણમન જ આત્માની એકરૂપતા છે, તે જ વીતરાગી સરળતા છે, તે જ ઉત્તમ આર્જવ ધર્મ છે. આર્જવ સ્વભાવી આત્માના આશ્રયથી જ માયાચારનો અભાવ થઈને વીતરાગીની સરળતા પ્રગટ થાય છે. જેના લક્ષ્યથી કષાયો ઉત્પન્ન થાય છે તેના તરફ ન જોતાં અકષાયી પોતાના આત્માને જોવો, જાણવો, માનવો, અનુભવમાં લેવો, આત્મામાં જ જામી જવું, રમી જવું, સમાઈ જવું એ જ ઉપાય છે. પ્રત્યેક જીવ આવો ઉત્તમ આર્જવ ધર્મ પ્રગટ કરે એ જ ભાવના ! ઉતમ શૌય વ્યાખ્યા પવિત્રતાનુંનામશૌચ છે. શૌચની સાથે લગાડેલો ‘ઉત્તમ’ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. તેથી સમ્યગ્દર્શન સહિત હોવાવાળી વીતરાગી પવિત્રતા જ ઉત્તમ શૌચધર્મ છે. રૂપઃ શૌચ ધર્મનો વિરેાધી લોભ કષાય માનવામાં આવેલો છે. લોભને પાપનો ખાપ કહેવામાં આવે છે. કેમ કે જગતમાં એવું ક્યું પાપ છે જે લોભીજન ન કરતા હોય. લોભી શું નથી કરતો ? તેની પ્રવૃત્તિ ગમે તેમ યેન કેન પ્રકારે ધનાદિ ભોગ સામગ્રી એકઠી કરવાની જ રહેતી હોય છે. જ્યારે લોભ કષાય ઉપજે ત્યારે ઈષ્ટ પદાર્થના લાભની ઈચ્છા હોવાથી તે અર્થે અનેક ઉપાયો વિચારે છે. જેમાં ઘણું દુઃખ થાય એવા આરંભ કરે છે. જો ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય અથવા ઈષ્ટનો વિયોગ થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jaineljbrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy