SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪૨ અને માનવા એ જ પરને પોતાના માનવાનું છોડવું છે. આ મમત્વબુદ્ધિ છોડવાની છે. પરમાંથી મમત્ત્વ બુદ્ધિ અને રાગાદિ ભાવોમાંથી ઉપાદેય બુદ્ધિ છોડવાથી માન કષાય નહિ થાય. * જ્ઞાન-શ્રદ્ધાનના બળે ઉત્પન્ન થતી આત્મલીનતાવડે ક્રમશઃ માન કષાય ક્ષીણ થઈ પર્યાયમાં માર્દવ ધર્મ પ્રગટ થશે. સર્વેને એ માર્દવ ધર્મ પ્રગટ થાય એ જ ભાવના! 1 ઉત્તમ આજે વ્યાખ્યા આર્જવ પણ આત્માનો સ્વભાવ છે. આર્જવ સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં છળકપટ માયાચારના અભાવરૂપ શાંતિસ્વરૂપ જે પર્યાય પ્રગટ થાય છે તેને આર્જવ કહે છે. ઋજુતા અર્થાત્ સરળતા નું નામ આર્જવ છે. સમ્યગ્દર્શન સહિત જે સરળતાનો ભાવ છે તે જ ઉત્તમ આર્જવ ધર્મ છે. ઉત્તમ આર્જવ એટલે કે સમ્યગ્દર્શન સહિત વીતરાગી સરળતા. સ્વરૂપ આર્જવ ધર્મનો વિરોધી માયા કષાય છે. એના લીધે સ્વભાવગત સરળતાન રહેતા કુટિલતા ઉત્પન્ન થઈ જાય છે. માયાચારીનો વ્યવહાર સહજ અને સરળ નથી હોતો. તે વિચારે છે કાંઈક અને કરે છે કાંઈક. મન, વચન, તનમાં એકરૂપતા નથી હોતી. તે પોતાના કાર્યની સિદ્ધિ છળક્યુટ વડે જ કરવા ઈચ્છે છે. અહીં ધ્યાન આપવા યોગ્ય વાત આ છે કે લોકિક કાર્યોની સિદ્ધિ માયાચારીથી નહિ, પૂર્વ પુણ્યોથ વડે થાય છે અને પર લૌકિક કાર્યોની સિદ્ધિમાં પાંચેય સમવાય-સ્વભાવ, નિયતિ, નિમિત્ત, કાળ લબ્ધિ અને પુરુષાર્થ-કાર્યકારી છે. જેમાં પ્રધાનતા પુરુષાર્થની છે. માયાના કારણો * કાર્યસિદ્ધિ માટે કપટનો પ્રયોગ નિર્બળ વ્યકિત કરે છે. * કેટલાક લોકો મનોરંજન માટે અથવા આદતવશપણ એમ કરતા હોય છે. * આજકાલ સભ્યતાના નામે ઘણો બધો માયાચાર ચાલે છે. માયાચારીની દશાઃ માયાચારીપણું બીજાઓના માટે નહિ પણ પોતાના માટે પણ ખૂબ ભયજનક નીવડી શકે છે. પોતાના સુખ ચેન નષ્ટ કરી શકે છે. માયાચારી વ્યક્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy