SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ તાત્પર્ય એ છે કે કોઈને કોઈના આશ્રયે માન થાય છે. માનના અનેક સૂક્ષ્મરૂપો છે. દીનતા માનનું એવું જ એક રૂપ છે. - અભિમાન અને દીનતા બન્નેય વિકાર છે. આત્મશાંતિનો ભંગ કરવાવાળા છે. બન્નેના અભાવનું નામ જ માર્દવ ધર્મ છે. ઉપાય * સમાનતાઃ સમાનતા આવતા માન ચાલ્યું જાય છે. દ્રવ્યદ્રષ્ટિથી જોઈએ તો બધાજ આત્મા સમાન છે, કોઈ નાના મોટાનથી અથવા સર્વ જીવ છે સિદ્ધ સમ.બધાય આત્મા સિદ્ધ જેવા છે, જે કાંઈ ભેદ દેખાય છે તે તો પર્યાયમાં છે અને પર્યાય એક સમયની જ છે. વસ્તુસ્થિતીનું સ્વરૂપ વસ્તુસ્થિતિનું સ્વરૂપ જેમ છે તેમ જો સમજણમાં આવી જાય તો માન ખતમ થઈ જાય છે. જેવા હોઈએ તેવા પોતાને માનવામાં જરાયમાન નથી. કેમકે એનું નામતો સત્યશ્રદ્ધાન અને સત્ય જ્ઞાન છે. બલ્ક જેવા નથી તેવા માનવાથી તથા જેવા નથી તેવા માનીને અભિમાન વા દીનતા કરવાથી માન થાય છે. સંયોગને સંયોગરૂપ જાણવાથી પણ માન થતું નથી. સમ્યજ્ઞાની ચક્રવર્તી પોતાને ચક્રવર્તી જાણે છે, માને પણ છે. પરંતુ સાથે એ પણ જાણે છે આ સર્વ સંયોગ છે. હું એ સર્વ સંયોગથી ભિન્નવિલક્ષણતત્ત્વ છું. તેને અનંતાનુબંધીનું માન હોતું નથી. નબળાઈથી અપ્રત્યાખ્યાનાદિ સંબંધી માન રહે છે, તો પણ માનની સાથે એકત્ત્વબુદ્ધિનો અભાવ છે. એકત્ત્વબુદ્ધિ માનનું કારણ છે. માર્ટવ ધર્મની પ્રાપ્તિ માટે દેહાદિ સાથેની એકત્ત્વબુદ્ધિ તોડવી પડશે. આ એકત્ત્વબુદ્ધિ એ મિથ્યાત્ત્વ છે. માનને તોડવામિથ્યાત્વનો અભાવ જરૂરી છે, જેનો અભાવ આત્મદર્શનથી થાય છે. * દેહાદિમાં પરબુદ્ધિની સાથે સાથે આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોમાં પણ હેય બુદ્ધિ થવી જોઈએ. ઉપાદેય બુદ્ધિ જવી જોઈએ. મનુષ્ય ગતિમાં માનની મુખ્યતા દર્શાવી છે. સઘળા પદોના ત્યાગનું નામ સાધુ પદ છે. માનાદિ કષાયોમાં ઉપાદેયબુદ્ધિ છૂટટ્યા વિના ધર્મનો પ્રારંભ જ થતો નથી. કે જ્યાં સુધી આ આત્મા પર પદાર્થોને પોતાના માનતો રહેશે ત્યાં સુધી અનંતાનુબંધી માનની ઉત્પત્તિ થયા જ કરશે. નિજ ને નિજ અને પરને પર જાણવું જોઈશે. બન્નેને ભિન્ન ભિન્ન સ્વતંત્ર સત્તાશીલ પદાર્થ જાણવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy