SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સુખદુઃખનો આધાર આ જગતમાં કોઈ અન્ય પદાર્થનથી પણ એનો આધાર મારી સમજણ છે. તો પછી એ પરિણામોને માટે આપણે જ્યારે પોતાને જ જવાબદારી સ્વીકારીશું તો પછી આપણે કોના પર ક્રોધ કરશું? ઉત્તમ ક્ષમા સમ્યગ્દષ્ટિને જ હોય છે. ક્રોધનો અભાવ આત્માના આશ્રયે જ થાય છે. મિથ્યાષ્ટિને આત્માનો આશ્રય હોતો નથી, તેથી તેને ક્રોધનો સંપૂર્ણ અભાવ થઈ શક્તો નથી. વ્યવહારથી ક્રોધાદિનું નિમિત્ત મળવા છતાં પણ ઉત્તેજિત ન થવું, એના પ્રતિકારરૂપ પ્રવૃતિ ન થવી એને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. નિશ્ચયથી તો ક્ષમા સ્વાભાવી આત્માના આશ્રયે પર્યાયમાં ક્રોધરૂપ વિકારની ઉત્પત્તિ જ ન થવી એ ઉત્તમ ક્ષમા છે. જે ગાળ સાંભળી થપ્પડ મારે તે કાયાની વિકૃતિવાળો છે. જે ગાળ સાંભળી ગાળ આપે તે વચનની વિકૃતિવાળો છે. ‘જે ગાળ સાંભળી મનમાં ખેદ લાવે’ તે મનની વિકૃતિવાળો છે. પરંતુ જે ગાળ સાંભળી મનમાં ખેદન લાવે તે ઉત્તમ ક્ષમાધારી છે. • શાસ્ત્રોમાં ક્રોધના ચાર પ્રકાર કહ્યા છે ૧. અનંતાનું બધી ૩. પ્રત્યાખાની ૨. અપ્રત્યાખાની + ૪. સંજવલન કષાયોની મંદતા અને તીવ્રતા પર ઉત્તમ ક્ષમાનો આધાર નથી એનો આધાર તોભૂમિકાનુસારકષાયોનાક્રમશઃ અભાવપર છે. નવમા-દશમાગુણસ્થાનોથી ઉપરના તો પૂર્ણ ઉત્તમ ક્ષમાના ધારક છે. પોતાના આત્માને ક્ષમા કરી તેની સામે જોયું તો એજ ઉત્તમક્ષમા છે. ઉત્તમ ક્ષમાતો એકવીતરાગભાવસ્વરૂપ છે. બધા એ પ્રાપ્ત કરો એ જ ભાવના. ઉત્તમ માદેવઃ વ્યાખ્યા માર્દવ આત્માનો સ્વભાવ છે. માર્દવ સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે માનના અભાવરૂપ શાંતિ સ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે એને પણ માર્દવ કહે છે. એનું બીજુ નામ મૃદુતા-કોમળતા છે. માન કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન કોમળતાનો અભાવથઈ જાય છે. એક અકડાઈઘમંડ જેવો ભાવ ઉત્પન્ન થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy