SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ નોકર્મ પરછે. આ રીતે સ્વ-પરના અને સ્વભાવ-વિભાવના સ્વરૂપનું ચિંતવન કરી, હેય ઉપાદેયનું જ્ઞાન થાય છે. ‘હવે બોધ....દર્શન મોહનીને' આ બોધથી દર્શનમોહનો અભાવ થઈ જે નિજ આત્માનો અનુભવ થાય છે તે જ નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. આત્માનુભૂતિ છે. સમસ્ત પરદ્રવ્ય અને પરભાવ હેય છે અને સ્વદ્રવ્ય ઉપાદેય છે. જ્ઞાનની પર્યાય એવા નિજ જ્ઞાયક ભગવાન આત્માનો આશ્રય કરી સ્વભાવ સન્મુખ વળે છે અને એનો સ્વીકાર કરતાં સ્વાનુભૂતિ થાય છે. નિશ્ચયનયે હેય ઉપાદેયના વિકલ્પ પણ આત્માનું સ્વરૂપ નથી. મુનિરાજ ભવનો અંત લાવવા માટે સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રાત્મક ‘બોધિ’ નું વારંવાર અનુપ્રેક્ષણ કરે છે. ૧૨,ધર્મ અનુપ્રેક્ષા: ધર્મનુ મૂળ સર્વજ્ઞ દેવ છે. ત્રિકાળગોચર સમસ્ત ગુણ પર્યાયો સહિત સંપૂર્ણ લોક – અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. ધર્મ અધર્મના ફળને ચાહતો જે પુરુષ છે તે તો સર્વજ્ઞને માન્ય કરી તેમના વચનાનુસાર ધર્મના સ્વરૂપનો નિશ્ચય કરી અંગીકાર કરો ! એ સર્વજ્ઞ દેવથી ઉપદેશિત ધર્મ બે પ્રકારથી છે એક તો સંગથી આસકત ગૃહસ્થનો અને બીજો અસંગ મુનિનો. ગૃહસ્થ ધર્મના બાર ભેદોના નામ આ પ્રમાણે છે. મધાદિક સ્થૂલ દોષોથી રહિત દર્શન પ્રતિમાધારક ૧. ખાર વ્રતધારી વ્રત પ્રતિમાધારી સામાયિક પ્રતિમાધારી પર્વતતી ૨. 3. ૪. ૫. ૬. 9. મૈથુન ત્યાગી પ્રાસુક આહારી રાત્રી ભોજન ત્યાગી બાર ભેદ થયા. ૨૩૧ એ પ્રમાણે અગિયાર પ્રતિમા અને એક શુદ્ધ સમ્યગ્દર્શન મૂળ મળી ૧. ઉત્તમ ક્ષમા ૨. ઉત્તમ માર્દવ ૩. ઉત્તમ આર્જવ ૪. ઉત્તમ સત્ય ૫. ઉત્તમ શૌચ મુનિધર્મ ક્ષમાદિ ભાવોથી દશ પ્રકારનો છે. ૬. ઉત્તમ સંયમ ૭. ઉત્તમ તપ ૮. ઉત્તમ ત્યાગ ઉત્તમ આચિન્ય ઉત્તમ બ્રહ્મચર્ય. Jain Education International આરંભ ત્યાગી પરિગ્રહ ત્યાગી ૯. ૧૦. ૮. ૯. ૧૦. કાર્યનુમોદના રહિત ૧૧. ઉદ્વિષ્ટાહારવિરત For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy