SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારથી પૂર્વે બાંધેલાકર્મોનું એક દેશ ખરી જવું તે નિર્જરા છે. જે કારણો સંવરના છે તે જ નિર્જરાના છે. નિર્જરાના બે ભેદ છે ૧.વિપાક ર.અવિપાક સવિપાક નિર્જરા અર્થાત્ ઉદયકાળ આવતાં સ્વયં પાકીને કર્યો ખરી જાયતે, ચારેયગતિનાજીવોને હોય છે, અને અવિપાક નિર્જરા અંદરશુદ્ધપરિણતિયુક્ત શાનીને, વિશેષતઃ વ્રતી જીવોને તપ દ્વારા થાય છે. નિશ્ચયથી પરમાર્થનયેત્રિકાળી શુદ્ધજીવને નિર્જરા પણનથી, તેથીદ્રવ્યદૃષ્ટિ એ આત્માને સદા નિર્જરાભાવથી રહિત એકરૂપ પૂર્ણ શુદ્ધ ચિંતવવો જોઈએ. ૧૦.લોક અનુસાર આકાશદ્રવ્યનોક્ષેત્ર-પ્રદેશ અનંત છે. તેના અતિમધ્યદેશમાં અર્થાત્ વચ્ચોવચ્ચેના ક્ષેત્રમાં રહે છે તે લોક છે. છ દ્રવ્યનો સમુદાયતે લોક છે, તે છ દ્રવ્યો નિત્ય છે તેથી લોકો પણ નિત્યજ છે. દ્રવ્યો છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાયતે લોક છે. તેથી દ્રવ્યોના પરિણામ તે જ લોકના પણ પરિણામ થયા. અહીં લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ અપેક્ષાએ પરિણામ હોય છે. વ્યવહારથીઃ જીવાદિ પદાર્થોનો સમૂહ તે લોક છે. લોકના ત્રણ વિભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક નીચે સાત નરક, મધ્યમાં અસંખ્યાતકીપ સમુદ્ર અને ઉપર ત્રેસઠ ભેદ સહિત સ્વર્ગ છે અને સૌથી ઉપર સિદ્ધ-શીલા (મોક્ષ) છે. અશુભોપયોગથી નરક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે, શુભોપયોગથી દેવ અને મનુષ્ય ગતિના સુખ મળે છે અને શુદ્ધોપયોગથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. તે તે ભાગ્ય વિશેષના, સ્થાનકદ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપેસાવ’. આ રીતે લોકના સ્વરૂપનોવિચારકરવો જોઈએ. ૧૧.બોધિદુર્લભ અપેક્ષા અતિ કઠણતાથી પ્રાપ્ત થવા યોગ્ય એવો આ મનુષ્ય પર્યાય એક અમૂલ્ય રત્નતુલ્ય છે; તેને વિષયકષાયોમાં રમી વૃથા ગુમાવવો યોગ્ય નથી. આ મનુષ્યપણામાં બોધ પામી, રત્નત્રય પામી, તેનો મહાન આદર કરો. આ બધું દુર્લભમાં પણ દુર્લભ જાણી તથા દર્શન- જ્ઞાન-ચારિત્ર સંસારમાં દુર્લભથી પણ દુર્લભ જાણી એ જ્ઞાન-દર્શન-ચારિત્રને હે ભવ્ય જીવો! તમે મહાન આદર કરો! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનને સમ્યક્યારિત્રની એકતારૂપ શુદ્ધ પરિણતિ બોધિ છે. તેની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેની દુર્લભતાનો વારંવાર વિચાર કરવો તે બોધિદુર્લભ અનુપ્રેક્ષા છે. કર્મોદયજન્ય પર્યાયો તેમજ ક્ષાયોપથમિક જ્ઞાન હેય છે અને કર્મ નિરપેક્ષ ત્રિકાળ શુદ્ધ નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છે એવો અંતરમાં દ્દઢ નિર્ણયને સમ્યકજ્ઞાન છે. શાયસ્વભાવી નિજ આત્માદ્રવ્ય “સ્વ છે અને બાકી બધું દ્રવ્યકર્મ, ભાવકર્મ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy