SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ કર્મબંધનું કારણ આસ્રવ છે. તે મિથ્યાત્ત્વ, અવિરતિ, પ્રમાઠ, કષાય અને યોગ એમ પાંચ પ્રકારના છે. તેમાં સ્થિતિ અનુભાગરૂપ બંધના કારણ તો મિથ્યાવાદિ ચાર જ છે અને તે મોહ કર્મના ઉદયથી થાય છે. તથા યોગ છે તે તો સમયમાત્ર બંધને કરે છે. પણકાંઈ સ્થિતિ અનુભાગને કરતો નથી. તેથી તે બંધના કારણમાં પ્રધાન (મુખ્ય) નથી. ભાવ તેમજ દ્રવ્ય કર્મામ્રવને કારણેજ જીવ સંસાર – અટવીમાં પરિભ્રમણકરે છે. શુભાશુભ આમ્રવને લીધે જીવ સંસાર સાગરમાં ડૂબી જાય છે. માટે આસવરૂપ ક્રિયા મોક્ષનું કારણ નથી; જે શુભાસવરૂપ ક્રિયા જ્ઞાનીને હેય બુદ્ધિએ હોય છે તે પરંપરાએ મોક્ષનું કારણ વ્યવહારે કહેવાય છે. અશુભાસવરૂપ ક્રિયા પણ મોક્ષનું કારણ નથી. આસ્રવરૂપ ક્રિયા દ્વારા નિર્વાણ થતું નથી. પાપ- પુણ્યના બન્ને ભાવ આસ્રવ જ છે – હેય જ છે. આસ્રવ સંસારગમનનું જ કારણ છે, માટે નિંદનીય છે. નિશ્ચયથી જીવને કોઈપણ આસ્રવ નથી. તેથી આત્માને દેવશુભાશુભબન્ને પ્રકારના આસ્રવોથી રહિત ભાવવો જોઈએ. ૮. સંવર અનુપ્રેક્ષા : સમ્યગ્દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાયજય તથા યોગનો અભાવ એ સંવરના નામ છે. આસવે રોકવા તે સંવર છે. વ્યવહારથી : ચલ, મલિન અને અગાઢ દોષ ટળતાં નિર્મળ સમ્યક્ત્ત્વરૂપી દ્દઢ કમાડ દ્વારા મિથ્યાત્ત્વરૂપ આસ્રવ બંધ થઈ જાય છે; પંચ મહાવ્રતયુકત શુદ્ધ પરિણતિથી અવિરતિરૂપ આસવનો નિયમથી વિરોધ થાય છે; અકષાયરૂપ શુદ્ધ પરિણતિથી કષાયરૂપ આસ્રવનો અભાવ થાય છે. અને અંતરંગ શુદ્ધિ સહિત શુભ યોગની પ્રવૃત્તિ અશુભયોગનો સંવર કહે છે. તથા શુદ્ધોપયોગ દ્વારા શુભયોગનો નિરોધ થઈ જાય છે; શુદ્ધોપયોગથી જીવને ધર્મધ્યાન અને શુક્લધ્યાન થાય છે, તેથી ધ્યાન સંવરનું કારણ છે એમ નિરંતર સંવરના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. નિશ્ચયથી : પરમ નિશ્ચય નયે જીવને સંવર નથી કેમ કે તે તો દ્રવ્ય સ્વભાવે સહાયુદ્ધ છે. તેથી દ્રવ્ય દૃષ્ટિએ આત્માને સદા સંવરભાવથી રહિત સદા પરિપૂર્ણ શુદ્ધ વિચારવો જોઈએ. ૯. નિર્જરા અનુપ્રેક્ષા : જ્ઞાની પુરુષને ખાર પ્રકારનાં તપથી કર્મોની નિર્જરા થાય છે. કેવા જ્ઞાનીને થાય છે ? જે નિદાન અર્થાત્ ઈન્દ્રિય વિષયોની વાંચ્છારહિત હોય તથા અહંકાર - અભિમાનથી રહિત હોય તેને વળી શા વડે નિર્જરા થાય છે? વૈરાગ્યભાવનાથી. અર્થાત્ સંસારદેહ-ભોગ- પ્રત્યે વિરકત પરિણામોથી થાય છે. Jain Education International * For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy