SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ, આલોચના અને સામાયિક (સમાધિ) વગેરે છે. માટે આ અનુપ્રેક્ષાઓનું નિરંતર ચિંતન કરવું જોઈએ. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે નિશ્ચય અને વ્યવહારથી થવામાં આવેલી આ અનુપ્રેક્ષાઓનું જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ નિર્વાણને પામે છે. આ બાર ભાવનાઓમાં જ્ઞાન વૈરાગ્યને સીંચનારા ભાવોથી હદય આલાદિત થઈ જાય છે. હે ભવ્યાત્મા! સર્વ પ્રકારે ઉદ્યમ કરી, મોહ છોડી તું એ આત્મસ્વભાવનું ચિંતવન કરકે જેથી સંસાર પરિભ્રમણનો સર્વથા નાશ થાય...! બાર ભાવનાનું વર્ણન: ૧. અધુવ અનુપ્રેક્ષા : જે કાંઈ ઉત્પન્ન થયું છે તેનો નિયમથી નાશ થાય છે. અર્થાત્ પરિણામ સ્વરૂપથી તો કોઈ પણ વસ્તુ) શાશ્વત નથી. વ્યવહારથીઃ- ઉત્તમ ભવન, સવારી, વાહન, શયન, આસન, દેવ, મનુષ્ય, રાજા, માતાપિતા, કુટુંબી અને સેવક આદિબધાય સંયોગો અનિત્ય અર્થાત છૂટા પડી જનાર છે. બધા પ્રકારની સામગ્રી-પરિગ્રહ, ઈન્દ્રિયો, રૂપ, નિરાગતા, યૌવન, બળ, તેજ, સૌભાગ્ય અને સૌંદર્ય વગેરે બધુંયમેઘધનુષ્યની જેમ નશ્વર છે. અહમિંદ્રના પદ, ચકવર્તી અને બળદેવ આદિની પર્યાયોપાણીના પરપોટા, ઈન્દ્રધનુષ, વીજળી, અને વાદળોની શોભા સમાન-ક્ષણભંગુર છે. જ્યાં દૂધ અને પાણીની જેમ જીવ સાથે નિબદ્ધ, દેહ પણ શીધ્ર નષ્ટ થઈ જાય છે ત્યાં ભોગો ભોગનાં સાધનભૂત પૃથકવર્તી પદાર્થો-સ્ત્રી આદિ પરિકરનો સંયોગશાશ્વત કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. નિશ્ચયથી - પરમાર્થથી જ્ઞાન આનંદ સ્વરૂપ આ આત્મા દેવ, આસુર અને નરેન્દ્રના વૈભવોથીને શરીરાદિ પરપદાર્થોથી તદ્દન ભિન્ન ત્રિકાળ શુદ્ધતેમજ શાશ્વત પરમ પદાર્થ છે. તત્ત્વજ્ઞાનપૂર્વક તેનું અનુપ્રેક્ષણ કરવાથી શાશ્વત સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. ૨. અશરણ અનુસા:- મરણ સમયે ત્રણ લોકમાં જીવને મરણથી બચાવનાર કોઈ નથી. મણિ, મંત્ર, ઔષધ, રક્ષક સામગ્રી, હાથી, ઘોડા, રથ અને સમસ્ત વિદ્યાઓ વગેરે કોઈ શરણ આપનાર નથી. સ્વર્ગ જેનો કિલ્લો છે, દેવો સેવક છે, વ્રજ શસ્ત્ર છે અને ઐરાવત ગજરાજ છે એવા ઈન્દ્રને પણ કોઈ શરણ નથી. તેને પણ મૃત્યુથી બચાવનાર કોઈ નથી. નવ નિધિ, ચૌદ રત્ન, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy