SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ '3 ઘોડા, મત્ત ગજેન્દ્રો અને ચતુરંગીણી સેના વગેરે કાંઈ પણ ચક્રવર્તીને શરણ રૂપ નથી. જોતજોતામાં કાળ તેને કોળીયો કરી જાય છે. તો પછી જીવને નિશ્ચયે શરણ કોણ છે? નિશ્ચયથી જન્મ, જરા, મરણ, રોગ અને ભય ઈત્યાદિથી આત્માનું રક્ષણ કરવાવાળો સર્વ દ્રવ્યકર્મ – ભાવકર્મ-નોકર્મથી ભિન્ન ત્રિકાળશુદ્ધ નિજ શાયક આત્મા જ શરણ છે. આત્મા સ્વયં પંચપરમેષ્ઠી રૂપ પરિણમન કરે છે. તેથી આત્મા જ આત્માનું શરણ છે. ૩. સંસાર અનપેક્ષાઃ મિથ્યાત્વ અર્થાતુ વસ્તુનું સર્વથા એકાંતરૂપ શ્રદ્ધાન કરવું અને કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ એ સહિત આ જીવને અનેક દેહોમાં જે સંસરણ અર્થાતુબ્રમણ થાય છે તેને સંસારકહીએ છીએ. તે કેવી રીતે? એ જ કહીએ છીએ – એક શરીરને છોડી અન્યને ગ્રહણ કરે; વળી પાછું નવું શરીર ગ્રહણ કરી, તેને પણ છોડી અન્યને ગ્રહણ કરે; એ પ્રમાણે ઘણીવાર ગ્રહણ કર્યા જ કરે તે જ સંસાર છે. વ્યવહારથી જિનેન્દ્રદેવપ્રણીત અધ્યાત્મ માર્ગની અંતરમાં સમ્યફ પ્રતીતિ જેમ જ પરિણતિ વિના જીવ અનાદિકાળથી જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી પ્રચુર એવા પંચપરાવર્તનરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મોના નિમિત્તે આ જીવ સંસાર રૂપી ભયાનક વનમાં ભ્રમણ કરે છે. નિશ્ચયથી જીવ સદ્દા કર્મોથી રહિત છે તેથી તેને સંસાર જ નથી. સંસારથી અતિક્રાન્તનિજ નિત્યશુદ્ધ આત્મા ઉપાદેય છે અને સંસાર દુઃખોથી આક્રાંત ક્ષણિક દશા હેય છે. એવું ચિંતવન કરવું તે સંસાર-અનુપ્રેક્ષા છે. ૪. એકવ અપેક્ષા: જીવ છે તે એકલો ઉપજે છે, તે એકલો જ ગર્ભમાં દેહને ગ્રહણ કરે છે, તે એકલો જ બાળક થાય છે, તે એકલો જ યુવાન અને તે એકલો જ જરાવસ્થાથી ગ્રસિત વૃધ્ધ થાય છે. જીવ એકલો જ જુદી જુદી અવસ્થાઓને ધારણ કરે છે. વ્યવહાચ્છી જીવ એકલો જે કર્મ કરે છે, એકલો જ દીર્ઘ સંસારમાં ભટકે છે. જીવ એકલો જ જન્મ-મરે છે અને એકલો જ તેના ફળમાં ઊંચનીચ ગતિ ભોગવે છે. જીવ એકલો કર્મનો ક્ષય કરે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. નિશ્ચયથી એકત્ત્વનું અનુપ્રેક્ષણ કરનાર એમ ભાવે છે કે હું ત્રણે કાળે એકલો જ છું. મમત્વથી રહિત છું, શુદ્ધ છું તથા સહજ જ્ઞાન દર્શન સ્વભાવથી પરિપૂર્ણ છું. આ શુદ્ધ એકત્ત્વ ભાવ જ સદા ઉપાદેય છે. આત્માર્થી જીવે સદા આ પ્રમાણે એક ભાવના કર્તવ્ય છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy