SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ ભાવ અનુપ્રેક્ષા છે. આ શુદ્ધ પરિણિતીમય ભાવ અનુપ્રેક્ષા જ સાધક જીવને જેટલે સંવર નિર્જરાનું કારણ છે. વિકલ્પયુકત ચિંતનમયદ્રવ્ય અનુપ્રેક્ષા તો શુભ રાગ છે; તે તો આસ્રવ બંધનું કારણ છે, સંવર નિર્કરાનું નહિ. સાધક જીવને જેટલે અંશે સમ્યગ્દર્શન- જ્ઞાનચારિત્રમય શુદ્ધપરિણતી પ્રગટ થઈ છે તેટલે અંશે તેને આસવબંધ થતો નથી પરંતુ જેટલે અંશે શુભાશુભ રાગ છે તેટલે અંશે તેને નિયમથી આસવબંધ થાય છે. જ્ઞાનીને અંતરંગશુદ્ધ પરિણતી સાથે વર્તતા “અનિત્ય આદિ ચિંતનના શુભરાગને વ્યવહારે “અનુપ્રેક્ષા કહેવાય છે, પરંતુ અનુપ્રેક્ષા તો સંવરનું કારણ હોવાથી, તે શુભરાગયુકત ચિંતન પરમાર્થે અનુપ્રેક્ષા નથી, અનિત્ય આદિનાચિંતનકાળે વર્તતી અંતર્ગ શુદ્ધપરિણતી જ નિશ્ચય અનુપ્રેક્ષા છે. બાર અનુપ્રેક્ષાનું માહાત્મયતેમજ ફળ અચિંત્ય છે. અનાદિ કાળથી આજ સુધી જે કોઈ ભવ્ય જીવો પૂર્ણાનંદમય મુક્ત દશાને પામ્યા છે તે બધા આ અનિત્ય આદિ બાર ભાવનાઓનું એક, અનેક અથવા બધીયનું તત્વતઃ અંતરંગ શુદ્ધિ યુકત ચિંતન કે ધ્યાન કરીને જ પામ્યા છે. ભૂતકાળમાં જે તીર્થકરો, ચક્રવર્તીઓ, બળદેવો, ગણધરો વગેરે શ્રેષ્ઠ પુરુષો સિદ્ધિને વર્યા અને જેઓ ભવિષ્યમાં વરશે તે બધું આ ભાવનાઓના તાત્ત્વિક શુદ્ધિ યુક્તિ ચિંતવનનું જ અચિંત્યફળ છે. ખરેખર, એ બધું જ્ઞાનવૈરાગ્યવર્ધક ભાવનાઓનું જમાપહામ્ય છે. આબાર ભાવનાઓના ચિંતવનનો નિરંતર અભ્યાસ કરવાથી આત્માર્થી જીવોના હૃદયમાં રહેલો કષાય રૂ૫ અગ્નિ બુઝાઈ જાય છે, પરદ્રવ્યો પ્રત્યેનો રાગભાવક્ષીણ થઈ જાય છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય થઈને જ્ઞાનરૂપ દીપકનો પ્રકાશ થાય છે. માટે મોક્ષેચ્છુ આત્માએ બાર ભાવનાઓનું ચિંતવન નિરંતર કરવું જોઈએ, કેમકે અંતરંગ શુદ્ધિયુકત આ બાર ભાવના સમસ્ત વિભાવો તેમજ કર્મોના ક્ષયનું કારણ થાય છે. અનિત્યાદિબાર ભાવનાનાતત્ત્વજ્ઞાનપૂર્વક ચિંતવનનું સામાન્યપણે પ્રયોજન એ છે કે ધર્મધ્યાનમાં જે પ્રવૃતિ કરે છે તેને આ દ્વાદશાંગનું પ્રેક્ષા આધારરૂપ છે, અનુપ્રેક્ષાના બળે ધ્યાતા પુરુષ ધર્મ-ધ્યાનમાં સ્થિર રહે છે. વસ્તુ સ્વરૂપમાં જે એકાગ્રચિત્ત થાય છે તે તેનું વિસ્મરણ થતાં તેનાથી ચલિત થઈ જાય છે. પરંતુ વારંવાર તેને એકાગ્રતા માટે જો ભાવનાનું આલંબન મળી જાય તો તે ચલિત નહિ થાય માટે આત્મહિતના ઈચ્છુક જીવોએ આ બાર ભાવના ભાવવી જોઈએ. અહો! પરમ વૈરાગ્યની જનની એવી આ બાર અનુપ્રેક્ષાઓનો મહિમા શું કથી શકાય ! આ બાર અનુપ્રેક્ષાઓજ ખરેખર પ્રત્યાખ્યાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy