SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ I૧ી બાર ભાવના i અનુપ્રેક્ષા એક અનુશીલન में ध्येय हूँ, श्रद्वेय हूँ, मै तैय हूँ मैं ज्ञान हूँ। बस एक ज्ञायक भाव हूँ मैं, मैं स्वंय भगवान हूँ ।। इस सत्य को पहेचानना ही भगवान का सार है। ध्रुवधाम की आराधना आराधना का सार है। અનુપ્રેક્ષા અર્થાત્ ચિંતન, વારંવાર ચિંતન. કોઈપણ વિષયમાં ઊંડાણપૂર્વક જવા માટે એના સ્વરૂપનો વારંવાર વિચાર કરવો એ જ ચિંતન છે. જો ચિંતન વસ્તુ સ્વરૂપના નિર્ણય માટે કરવામાં આવેતો એ વિષયમાં જો રુચિ હોય તો નિર્ણત વિષય પર વારંવાર ચિંતનનો આધાર બને છે. ચિંતન ધ્યાનનો પ્રારંભિક છે. રૂચી ધ્યાનની નિયામક હોવાથી ચિંતનની પણ નિયામક છે. જે વિષય આપણી રૂચીનો હોય છે તેના પર સહેજ ધ્યાન જાય છે, એનું ચિંતન મનન પણ સહજ જ ચાલે છે. કોઈપણ વિષયને જાણવાની ઈચ્છા (જીજ્ઞાસા) પણ ચિંતનને પ્રેરીત કરે છે. જીજ્ઞાસા જેટલી પ્રબળ હોય છે તેટલા પ્રમાણમાં ચિંતન ગંભીર હોય છે. અનુપ્રેક્ષા ચિંતન સ્વરૂપ હોવાથી જ્ઞાનાત્મક છે, ધ્યાનાત્મક નથી. વૈરાગ્ય ઉત્પાદક તત્ત્વ પરનું ચિંતન જ અનુપ્રેક્ષા છે. ચિંતનની ધારાનું કે ધ્યાનનો ધ્યેય જો સમ્યક ન હોય સ્પષ્ટ ન હોય તે ચિંતન અને ધ્યાન ભવતાપનાશકનથતા ભવ-ભવ ભટકાવવાના પણ હેતુ બની શકે છે. માટે ચિંતનની ધારાનું નિયમન આવશ્યક જ નહિ અનિવાર્ય છે. ચિંતનનીધારાનું સમ્યફનિયમનજ બારભાવનાઓનું મૂળપ્રતિપાદન છે. સંયોગોનીક્ષણભંગુરતા, વિકારોની વિપરીતતા, સ્વભાવનું સામર્થ્ય અને સ્વભાવના આશ્રયથી ઉત્પન્ન પર્યાયોની સુખાકારી અને દુર્લભતા એ જ બાર ભાવનાઓના પ્રતિપાદનનું મૂળ કેન્દ્ર બિંદુ છે. કારણ કે આવા પ્રકારનું ચિંતવન જ વિરાગ્ય ઉત્પાદક અને તત્ત્વપરક હોવાથી સમ્યક્ દિશા બોધ આપી શકે છે. આમાં છ ભાવનાઓ વૈરાગ્ય ઉત્પાદક અને છ ભાવનાઓ તત્ત્વપરક છે. Jain Education International . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy