SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ * એવા કાળમાં પ્રત્યક્ષ જ્ઞાની-ગુરુનો યોગ મળે તો તે મહદ્ ભાગ્ય છે. કારણ કે પાત્રતાવશ પરમસના દાતાર પ્રત્યે મુમુક્ષુ જીવને અત્યંત બહુમાન અને ભક્તિના પરિણામ થઈ આવે છે. પૂરી અર્પણતાઉત્પન્ન થવાથી અન્ય સર્વવિષયોમાં પરિણામોનીરસાણા ને પામે છે. આ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય છે. * આ પ્રકારે સમ્યકત્વની પૂર્વ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય તો સ્વરૂપ અવભાસે છે. તે સિવાય સ્વરૂપનું ભાવભાસન થઈ શક્યું નથી. ઉપરોક્ત પ્રકારે અપૂર્વ અંતર જિજ્ઞાસા અને રુચિને વશ રાગ રસ ફિક્કો પડતા જિજ્ઞાસુજીવ જ્યારે અંતર વિચારની ભૂમિકામાં જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરે છે ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવના પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી નિશ્ચય કરે છે. જાણન પર્યાય અને જાણનગુણ એવા લક્ષણવડે આત્માને જાણી શકાય છે. એ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં અનંતગુણ છે. તે આત્મા છે' એમ નિશ્ચય કરવો જોઈએ. * જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચયકરે, ત્યારે જ્ઞાનની શેયથી ભિન્નતા અને નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે. સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. આ સ્વભાવનું અવલાસન છે. એકવાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્યસ્વભાવ લક્ષગત થયો એટલે તે જીવ નિર્વાણનો જ પાત્ર છે. આજ સ્વભાવ છે, એમ સ્વભાવ સન્મુખ જ જોર હોવાથી તે અનુભવ અવશ્ય કરીને કેવળજ્ઞાન લેવાનો જ છે.” જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતા જતાં જ્ઞાન સામર્થ્ય દ્વારા મોહ શિથિલ થતો જાય છે. આજ સુધી અસ્તિત્ત્વ ભાસ્યું નથી. અસ્તિત્ત્વ ભાસવાથી સમ્યકત્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્ત્વ એ સમ્યક્ત્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત ભાસે તો તે દૃષ્ટિની માફક નજરાય છે અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસતો નથી. જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે. પ્રકૃતિ જોર આપતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy