SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ “આત્માર્થીને શ્રી ગુરુના સાન્નિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. હું તો સેવક છું તેવી દ્રષ્ટિ રહેવી જોઈએ. ‘હું કાંઈક છું એમ થાયતો સેવકપણું છૂટી જાય છે. સેવક થઈને રહેવામાં લાભ છે. સેવકપણાનો ભાવગુણ-સમુદ્ર આત્મા પ્રગટવાનું નિમિત્ત થાય છે.” - “ચેતીને રહેવું મને આવડે છે' એમ આવડતની હુંફના રસ્તે ચડવું નહિ. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો જ છે. ત્યાંથી રોક્યા માથે ગુરુ જોઈએ. એક પોતાની લગામ અને બીજી ગુરુની લગામ હોયતોજીવ પાછો વળે. આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં જ લાભ છે. તે નિ સાર છે. સારભૂત એક આત્મસ્વભાવ છે.” જો કે આકાળમાં આવા મહાત્માઓનો યોગ અત્યંત દુર્લભ છે તેમાં સંશય નથી. પરંતુ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. ત્યાં કદાચિત પૂર્વના મહાપુણ્યોદયે દુર્લભ એવો સપુરુષનો સમાગમ પ્રાપ્ત થાય તે પરમહિત બુદ્ધિથી તેમાં પ્રવર્તવું જોઈએ અને પ્રાપ્ત સત્સંગની, જરા પણ કારણો ખાતર ઉપેક્ષા ન થાય તેની સાવધાની રાખવી જોઈએ. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો, સત્સંગમાં સાંભળેલ શિક્ષા બોધ પરિણામ પામીને જીવનમાં ઉત્પન્ન થયેલ મિથ્યા આગ્રહ કદાગ્રહાદિ દોષો છૂટી જાય કે જેથી તે મુમુક્ષુના પરિચયમાં આવનાર બીજા જીવોનો અવર્ણવાદ કરવાનો પ્રસંગતો ન આવે, ઉલટું એમ થાય કે ખરેખર આ જીવને કોઈ મહાપુરુષ મળ્યા છે અને તેથી જ તે અત્યંત સરળતાથી વર્તી શકે છે. જીવને સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી યોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે. ક્રમે કરીને જ્ઞાની થાય છે. “બીજું કાંઈ શોધમાં, એક પુરુષને શોધીને (ઓળખીને) તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્યો જા પછી જો મોક્ષન મળે તો મારી પાસેથી લેજે' ઉપરના સર્વ વિસ્તારનું તાત્પર્ય એ છે કે વિદ્યમાન જ્ઞાનીનો યોગ, આત્માર્થી જીવ માટે, જેનું ઈ પ્રકારે મૂલ્ય ન થઈ શકે તેટલો ઉપકારી પ્રસંગ છે. અંતરંગ, નિસ્પૃહતાધારી એવા સત્પુરુષો જગતને એક વટેમાર્ગુની માફક આત્મકલ્યાણનો માર્ગ દર્શાવતા જાય છે. આવા જ્ઞાનીની ઓળખાણ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy