SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ २०७ આદર થાય છે કારણકે જ્ઞાનીની વિરાધના તીવ્ર દર્શન મોહાવેશને લીધે થાય છે અને તે કાળે પરિણામ પ્રચુર મલિન થાય છે. તે જ રીતે જ્ઞાનીના પરમ આદરભાવમાં મુમુક્ષને દર્શનમોહની મંદતા ભજે છે. તે સ્થિતિમાં જ્ઞાનીનો બોધ ગ્રહણ કરવાની યોગ્યતા-પાત્રતામાં આવે છે. જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારતા અલોકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. ક્યારેક ઉપર ઉપરથી સાધારણ દેખાતી વાત પણ ઊંડા પરમાર્થ પ્રત્યે લઈ જનારી હોય છે. એવું જ્ઞાનીનું વચન ગાંભીર્ય નિરંતર લક્ષમાં યોગ્ય છે. સર્વ જીવોને હિતકારી એવી જ્ઞાનીની વાણીને કાંઈપણ આત્માર્થ સિવાયના એકાંત દૃષ્ટિકોણથી ગ્રહણ ન કરાય તેની અત્યંત સાવધાની રાખવા યોગ્ય છે નહિતો અહિત થવાની સંભાવના છે. તે કારણથી મુમુક્ષુ જીવને અલ્પકાળે અને અલ્પ પ્રયાસે સર્વ સાધન સિદ્ધ થવાનું અને અનેક પ્રકારે અનિષ્ટોથી બચવાનું કારણ જોઈને પોતાનું ચિત્ત સત્પુરુષ પ્રત્યેની આશ્રય ભાવનામાં વર્તે છે. અનંતકાળનો અજાણ્યો, અંદરનો માર્ગ સૂઝે નહિ, સાચો નિર્ણય તો પોતાને જ કરવાનો છે. પરંતુ તે ગુરુ વચનનાયોગેસુગમપણે થાય છે. તેમ જાણી ઊંડો ઉતરવાનો પ્રયત્ન કરે તો તેને તે વચનમાં રહેલો પરમાર્થ અવશ્ય સમજાય છે. જ્ઞાનપ્રાપ્તિનાબેનિમિત્ત છે. એક શાસ્ત્ર અને બીજા સત્પુરુષ. તુલનાત્મક દૃષ્ટિકોણથી વિચારતા સપુરુષને પ્રાધાન્ય આપવા યોગ્ય છે કારણ કે શાસ્ત્ર પણ સત્પુરુષના યોગે સમજવું સુગમ પડે છે. અનાદિનોદષ્ટિવિપર્યાસ શાસ્ત્રના મર્મ સુધી પહોંચવામાં બાધક થાયતે સમજી શકાય તેવું છે. જ્ઞાની પાસેથી શાસ્ત્ર સમજવાની દષ્ટિ મળે થી શાસ્ત્ર ખરેખર ઉપકારી થાય છે. સશાસ્ત્રમાં રહેલા ગૂઢ રહસ્યો જ્ઞાની પાસેથી જ સમજાય છે. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુથાય છે. કેમકે પરમાર્થ આત્મશાસ્ત્રમાં વર્તતો નથી, પુરુષમાં વર્તે છે. અનંત કાળથી થડથો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન, સંત પણ આશ્રય વિના, સાધન કયાં અનેક, પાર ન તેથી પામીઓ, ઉગ્યો ન અંશ વિવેક.” માનાદિ શત્રુ મહા, નિજ છે કે ન મરાય, જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy