SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ પ્રતીતિયોગ્યતાવાળામુમુક્ષુ જીવને થાય છે. તે માટે યોગ્ય મુમુક્ષતાન હોય તો અનાદિનીબાહ્ય દષ્ટિને લીધે જીવને પ્રતીતિ અને ઓળખાણ પડતી નથી. તેથી તેવા જીવો ભ્રમથી અજ્ઞાનીની વિદ્વતા અને વક્તાપણામાં મોહ પામે છે અને અજ્ઞાનીનું અનુસરણ કરે છે. અર્થાત્ જ્ઞાનીના યોગથી વંચીત રહી જાય છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન અને તેનું જે નિમિત્ત તે જ્ઞાની- સત્પુરુષ. સમ્યફ-સન્મુખ જીવની દિશામાં થતા ફેરફારો • પોતાનું મૂળ સ્વરૂપ ચૌદ ગુણ સ્થાનથી પાર છે એવું ભાસવા લાગે અર્થાત્ સાક્ષાત્ સિદ્ધ પદરૂપ અંતરમાં આત્મદ્રવ્ય છે તેવો પોતારૂપે પોતાથી ભાસે છે. દેવગુરુ-શાસ્ત્ર આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન કહે છે તેથી નહિ પણ મને એમ જ ભાસે છે. જે અનંત મહિમાવંત સ્વરૂપ ભાસ્યું અને તેથી તેનો અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો, તે કારણથી આખા જગતનો મહિમા ઉડી જાય છે. તેથી ઉદયના સર્વ પ્રસંગોમાં પોતાનું કોઈ પ્રયોજન નથી એમ ભાસવા લાગે છે. પોતાનું અવભાસેલું સ્વરૂપ જ પ્રયોજનભૂત છે એવો નિશ્ચય વર્તે છે. ચાલતા પરિણમનમાં ઉક્ત પ્રયોજનભૂત સ્વના લક્ષે મુખ્ય ગૌણના ખાસ પ્રકારના બે પડખાં પડી જાય છે. જેમ કે શાસ્ત્રોનું અવગાહન- અધ્યયન થાય છે, તે સર્વ વિશાળતાવાળા પ્રતિપાદન માંથી પોતાના પ્રયોજનવાળા વિષયને જ મુખ્ય કરાય છે. બાકીનું સર્વ ફક્ત જાણવાનો વિષય છે, આકરવાનો નહિ તેમ જાણીને ગૌણ થઈ જાય છે. જોકે સર્વ સંજ્ઞી છદ્મસ્થ જીવોને પરિણામમાં મુખ્ય ગૌણ રૂપે પરિણમન સહજપણે થાય છે. પરંતુ અહીં જ્ઞાયક ની મુખ્યતાવાળો નિર્ણય વર્તતો નથી પરિણામમાં જેની મુખ્યતા થાય ત્યાં જીવની સર્વ શક્તિ લાગે તેવો નિયમ છે. તે જ્ઞાયક ની મુખ્યતાવાળું આ પરિણમન થયું હોવાથી ઉકત નિર્ણયની સફળતા થયા વિના રહેતી નથી. તેવું પરિણમન થયા કરે છે. જ્ઞાનલક્ષણથીજ્ઞાયક સ્વભાવનો નિર્ણયથાય છે. તેમાં લક્ષણપ્રગટ પર્યાયમાં હોવા છતાં, પર્યાયત્ત્વ લક્ષણમાં રહેતું નથી. પરંતુ લક્ષમાં જ્ઞાન સ્વભાવ રહે છે. અર્થાત્ લક્ષણપૂર્વક લક્ષ્યનો નિર્ણય થવા છતાં લક્ષણ ગૌણ થઈ જાય છે અને લક્ષ્યમુખ્ય થઈ જાય છે, એટલે લક્ષ્યનું લક્ષ રહે છે, પણ લક્ષણનું નહિ. તેમજ વસ્તુની ઓળખાણથતાં લક્ષ્ય-લક્ષણનો ભેદ પણ અસ્ત થઈ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy