SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ • મોટા પુરુષની આજ્ઞા માનવી, તેમનાથી ડરવું એ તો તને તારા અવગુણથી ડરવા જેવું છે, તેમાં તારા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષાદિ અવગુણ દબાય છે. માથે મોટા પુરુષ વિના, કષાયના રાગમાં તણાઈ જવાનો સંભવ છે. મોટા પુરુષનું શરણ લેતા તારા દોષોનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટ થશે. ગુરુનું શરણ લેતા ગુણનિધિ ચૈતન્યદેવ ઓળખાશે. ગુરૂ તારા ગુણ ખિલવવાની કળા દેખાડશે. ગુરુ આજ્ઞાએ રહેવું તે તો પરમ સુખ છે. કર્મભનિત વિભાવમાં જીવ દબાઈ રહ્યો છે, તે ગુરુની આજ્ઞાએ વર્તવાથી કર્મ સહેજે દબાય છે અને ગુણ પ્રગટે છે. વળી, દેશના લબ્ધિનો આ અનાદિ સિદ્ધાંત છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીના નિમિત્તે થાય છે, અજ્ઞાનીના નિમિત્તે નહિ. છતાં લોકદ્દષ્ટિ અને માનાદિ કારણોથી જીવ જ્ઞાનીના સમાગમથી દૂર રહે છે. સાક્ષાત્કાર પ્રાપ્ત પ્રત્યક્ષ સપુરુષનો સમાગમ, સુયોગ્ય પાત્રતા થયે જ સત્ સમજાય છે અથવા ઉપર લક્ષ આવે છે અને ક્રમે કરીને સની પ્રાપ્તિ થાય છે. અનંતકાળ નિજ- છેદે (કલ્પનાએ) ચાલી પરિશ્રમ કરે, તો પોતે પોતાથી જ્ઞાન પામે નહિ, પણ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સહજ માત્રમાં જ્ઞાન પામે. મહાત્માઓનો આ અનુભવ છે. પ્રત્યક્ષયોગે માર્ગ પ્રાપ્તિ કરનાર જીવને જ આ ગુપ્ત તત્ત્વનો અનુભવ થાય છે અને તે અમર થઈ જાય છે. દ્રવ્યાનુયોગ પરમગંભીર અને તત્વ પામવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. તેમાં તેવું નિરૂપણ હોવાથી, ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગનું મહત્વ વિશેષ છે. આ દ્રવ્યાનુયોગ પ્રત્યક્ષજ્ઞાનીનાસમાગમમાં વિચારવાયોગ્ય છે અથવા અધ્યયન કરવા યોગ્ય છે. તે પણ દઢ વૈરાગ્ય અને જ્ઞાની પ્રત્યેની અત્યંત ભક્તિપૂર્વક કરવામાં આવે તો જ તેનું સાર્થકપણુ છે. શાસ્ત્રોમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. • સત્પુરુષનોયોગ થયા પછી આત્મજ્ઞાનકાંઈદુર્લભનથી, તથાપિ સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તેવચનના આશયને વિશે, પ્રીતિ ભક્તિયાય નહિ ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી અને સપુરુષનો જીવને યોગ થયો છે, તેવું જીવને ખરેખર ભામ્યુ છે તેમ પણ કહેવું કઠણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy