SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૨૦૪ મોક્ષાર્થીની ભૂમિકામાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્ત્વ # ભૂમિકા : • સન્માર્ગના અનુભવી સતપુરુષની વિદ્યમાનતામાં, તેમનું સાનિધ્ય સેવતાં, ઉકત દોષોમાંથી છૂટવાનું સંભવ છે. તેમ જાણીને પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ માર્ગ પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. ચૈતન્યને સ્પર્શીને નીકળતી સત્પુરુષની વાણી પાત્રતાવાળા જીવના હૃદયમાં ઉતરી જાય છે, તેના અંતરંગને સ્પર્શે છે અને તે જીવ સમ્યક્ત્ત્તની નજીક થઈ જાય છે. તેથી વિચારવાન જીવ સત્પુરુષના સાનિધ્યમાં રહ્યા છે અને તેમના પ્રત્યે અતુલ ભક્તિ અને આજ્ઞાશીલપણું પરમ આદરપૂર્વક સંમત કરીને તેમ જ વર્ત્યા છે. જીવ જેનાથી અનાદિથી અજાણ છે, તેવા પરમાર્થના વિષયમાં, માત્ર મતિ કલ્પનાથી, પરમાર્થનું જ્ઞાન અથવા પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અર્થાત અંતર્મુખ પરિણમન રૂપ આરાધન નિજ કલ્પનાથી ઉત્પન્ન થતું નથી. સ્વછંદે જીવખાહ્યધર્મ સાધનવાળી પ્રવૃતિમાં બહિર્ભાવમાં વર્તે છે, તેમાં પરમાર્થની કલ્પના કરે છે. આવી ભૂલને પ્રત્યક્ષ જ્ઞાની સિવાય કોણ બતાવે ? તેથી જ પ્રત્યક્ષ સત્સંગ અનિવાર્ય છે અને અનંત ઉપકારી છે. • જો કે વર્તમાન હીણા કાળમાં, સત્પુરુષનો યોગ અત્યંત દુર્લભ છે. તો પણ પૂર્વના મહા પુણ્યને લીધે તેવો યોગ સંપ્રાપ્ત થાય તો તેની ન થઈ શકે તેટલી કિંમત છે. ‘‘જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવુ’’ એમ જિનઆગમ આઢિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિ કાળથી રખડયા. જયાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહિ વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિકરવી, એ પરમ શ્રેય છે. જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમે અનેક પડખાથી મુમુક્ષુ જીવને આત્માર્થનું પોષણ મળે છે અને અનેક પ્રકારના દોષ, માન, સ્વછંદ, લોભ આદિ કષાય તથા મિથ્યાત્ત્વના સૂક્ષ્મ દોષો અને અજ્ઞાન ટળવાનું કારણ બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy