SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ • હે ભવ્ય જીવો ! તમે ચૈતન્ય મહિમાને જાણો અને વીતરાગ ભાવને સેવો. વીતરાગતા તે જ સુખ છે. વીતરાગતા તે જ જૈન માર્ગનો સાર છે અને વીતરાગતા તે જ મોક્ષ માર્ગ છે. ॥ મહાવીર વાણી દરેક આત્મા સ્વતંત્ર છે. કોઈ કોઈને આધીન નથી, સ્વાધીન છે. પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. બધા આત્માઓ સમાન છે પણ એક નથી. કોઈ નાનો મોટો નથી. પોતાની સમાન બીજા આત્માઓને જાણો. • . દરેક આંત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખથી ભરેલો છે. સુખ આત્માની અંદર છે, અનુભવનો વિષય છે. એ ક્યાંય બહારથી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. આત્મા જ નહિં; પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. સ્વયં પરિણમનશીલ છે. એના પરિણમનમાં પર-પઠાર્યનો કોઈ હસ્તક્ષેપ નથી. દરેક જીવ પોતાની ભૂલથી પોતે દુઃખી થાય છે અને પોતે જ ભૂલ સુધારીને સુખી પણ થઈ શકે છે. પોતાને નહિં ઓળખવો એ જ જીવની સૌથી મોટી ભૂલ છે તથા પોતાનું સાચું સ્વરૂપ સમજવું એ જ પોતાની ભૂલ સુધારવી એ છે. જો સાચી દિશામાં પુરુષાર્થ કરવામાં આવે તો દરેક જીવ ભગવાન બની શકે છે. ભગવાન કોઈ જુદા હોતા નથી. જૈન ધર્મની માન્યતા મુજબ ભગવાન અનંત હોય છે. ભગવાન જગતના કર્તાહર્તા નથી. એ તો સમગ્ર જગતના જ્ઞાતા-દ્રષ્ટા હોય છે. જે સમસ્ત જગતને જાણીને એનાથી પૂર્ણ અલિપ્ત વીતરાગ રહી શકે અથવા પૂર્ણરૂપથી અપ્રભાવિત રહીને (જગતને) જાણી શકે તે જ ભગવાન છે. જેના વડે સંસારરૂપી સાગર તરી શકાય તેને તીર્થ કહેવામાં આવે છે અને જે આવા તીર્થને કરે અર્થાત્ સંસાર-સાગરમાંથી પાર ઊતરવાનો માર્ગ જે કરી આપે- બતાવી આપે તેને તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થંકર ભગવાન મહાવીર વર્તમાનયુગના તથા ભરત ક્ષેત્રના ચોવીસમા અને અંતિમ તીર્થંકર હતા. તેમની પૂર્વે ઋષભદેવ આદિ ત્રેવીસ તીર્થંકરો થઈ ગયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy