SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ધર્મની પ્રરૂપણા ધર્મના ઉત્તમ દશ લક્ષણોથી થઈ છે. ૧. ઉત્તમ ક્ષમા ૬. ઉત્તમ સંયમ ૨. ઉત્તમ માર્દવ ૭. ઉત્તમ તપ ૩. ઉત્તમ આર્જવ ૮. ઉત્તમ ત્યાગ ૪. ઉત્તમ શૌચ ૯. ઉત્તમ આચિન્ય ૫. ઉત્તમ સત્ય ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય. આત્મ સ્વરૂપની પ્રતીતિપૂર્વક ચારિત્ર ધર્મની દશ પ્રકારે આરાધના કરવી. – તીર્થંકર પ્રભુની ધર્મ દેશના ભગવાન ચંદ્રપ્રભુએ ઉપદેશમાં જીવાદિતત્ત્વોનું સ્વરૂપ બતાવ્યું. તેમાં શુદ્ધ ચૈતન્યનો અપાર નિજૅવૈભવ દેખાડીને તેનો અનુભવ કરવાનું કહ્યું. "સત્ જગતમાં જીવ અને અજીવ એમ બે પ્રકારના તત્ત્વો છે. ♦ તે દરેક ઉત્પાદ – વ્યય - ધ્રુવત્ત્વ સહિત છે. · તેમાં જે ચેતન સ્વરૂપ છે તે જીવ છે. • જીવો અનંતાઅનંત છે; તેમાં અનંત જીવો મુક્ત છે અને તેનાથી અનંતગણા જીવો સંસારી છે. દરેક જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ભાવનો કર્તા-ભોકતા છે. સંસારી જીવ મિથ્યાત્ત્વ અને કષાયભાવોને લીધે દુ:ખી છે અને નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ એવી ચાર ગતિમાં જન્મ મરણ કરે છે. • તેમાંથીજે જીવજૈન માર્ગ પામીને, શરીર અને કષાયથી ભિન્ન પોતાના આત્મ સ્વરૂપને ઓળખે છે તે સમ્યક્ત્વાદિ ભાવો વડે મોક્ષનો સાધક થાય છે. ભેદજ્ઞાન વડે અંતરાત્માયઈને તે જીવ સંસારથી છૂટવા માંડયો અને મોક્ષને સાધવા લાગ્યો. મોક્ષની સાધના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગ ભાવ વડે થાય છે. રાગ ભાવ મોક્ષનો સાધક નથી પણ ખાધક છે. ♦ બંધ અને મોક્ષનાં કારણો સંક્ષેપમાં આ પ્રમાણે છે. જીવ રકત બાંધે કર્મને, વૈરાગ્ય-પ્રાપ્ત મુકાય છે; એ જિનતણો ઉપદેશ, તેથી ન ાય તું કર્મો વિષે. તેથી ન કરવો રાગ જરીયે, કયાંય પણ મોક્ષo એ; વીતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy