SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ વળી યિામાર્ગે ધર્મબુદ્ધિપૂર્વક બાહ્ય વિષયોનો ત્યાગ કરવામાં આવે છે ત્યાં પ્રથમ પરમાં પોતાપણાને અધ્યાસનો ત્યાગ કર્તવ્ય છે. તે અધ્યાસનો ત્યાગ થયા પહેલાં અર્થાત્ પરમાં સ્વપણાના અધ્યાસ સહિત, પરપદાર્થનો માત્ર બાહ્ય-ત્યાગ અજ્ઞાન સહિત હોવાને લીધે, ત્યાગના અભિમાનને ઉત્પન્ન ર્યા વિના રહેતો નથી. આ ઉપરાંત બાહ્ય તપના અનેક પ્રકારને સાધના જાણીને તેના ફળમાં રિદ્ધિ સિદ્ધિ અથવા સંયોગોની અનુકુળતાનો મોહ પણ ઉત્પન્ન થવાની સંભાવના છે. આત્માના અંતરસ્વભાવના આનંદના અભાવમાં, બહારની અનુકુળતાના સુખનો મોહ-સિદ્ધિ મોહ-નો અભાવ જીવ કરી શકતો નથી. વળી વર્તમાન ત્યાગીપણાને લીધે, તેમજ પૂવર્મના પુણ્ય યોગને લીધે, સામાજીક આદર સત્કાર મળે છે. તેમાં જીવફસાઈ જાય છે અને તેથી વધુને વધુ માન મેળવવાની દૃષ્ટિ તેને રહ્યા કરે છે. ત્યાગની પ્રવૃતિ માનાર્થે કરવા લાગે છે. તેથી આત્મામાં અંતર શુદ્ધિની ક્વિાનો ઉપાય તેને સૂઝતો નથીમળતો નથી. આમ ક્રિયામાર્ગે રોકાવાનું આ સંભવિત કારણ છે. વળી યથાર્થ નિર્ણય અને યથાર્થ લક્ષ વિના, માત્ર શાસ્ત્રનું ભણતર અને જાણપણું તેમજ યુકિત અને તર્કની મદદ વડે આત્માનું ચિંતવન તે વારંવાર કરવા છતાં પણ તે ચિંતવનતત્સંબંધિત વ્યામોહ ઉપજવાનું કારણ બને છે. પરલક્ષી ધારણાવાળાજીવને આ રીતે આત્મચિંતવન પણ અવગુણનું કારણ બને છે. વળી આત્માનુભવના અભાવમાં જીવ નિજ, સ્વરૂપના જ્ઞાનના વિષયમાં નિઃશંક હોતો નથી. અર્થાત તે જે જ્ઞાન માટે પોતે શક્તિ છે તે જ્ઞાનનો ઉપદેશ કરવાનો પ્રસંગ તેને બને છે. તેમાં અજ્ઞાનને લીધે અન્યથા ઉપદેશ થવાનું સંભવે છે. તે ઉપદેશ કરનાર જીવ અપરિણામિ રહીને ઉપદેશ કરે છે. તેમાં આત્મસ્વરૂપ અને આત્મરસ પ્રગટતા નથી તેથી અજ્ઞાનીનો ઉપદેશ દેશના લબ્ધિમાં નિમિત્ત થતો નથી. જ્યાં સુધી સ્વરૂપને સમજવાની પરિપકવ સ્થિતિ અને શક્તિ થાય નહિ, ત્યાં સુધી વકતાપદનું જોખમ અનંત સંસારની વૃદ્ધિ છે. તેથી મૌન રહેવાની શિખામણ દ્વારા આત્માર્થીનું લક્ષ ખેંચ્યું છે. 0 0 0 Jain Education International . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy