SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૨ વળી પ્રાયઃ મુમુક્ષુ જીવને આત્મકલ્યાણની ભાવના હોવાથી તેના ઉપાયરૂપે જે કાંઈ ક્રિયા કરે છે તેના મુખ્ય બે ભેદ છે. એક જ્ઞાન ક્રિયા અને બીજી ત્યાગ ક્રિયા. આ બંન્ને ક્રિયા માર્ગે ભૂલવાના અથવા દોષ થવાના અનેક પ્રકાર છે, તેથી તે વિષયમાં પણ ઘણો બધો વિચાર કર્તવ્ય છે. • વળી શાસ્ત્રમાં નિરૂપણ કરેલાં અનેક ભેદ-પ્રભેદ અને નય વિવિક્ષાઓ સમજવાનો પ્રયાસ કરતા વિકલ્પો વધવાનું કારણ બને છે. અથવા ઘણા વિકલ્પોમા રોકાવાનું કારણ ઉત્પન્ન થાય છે. સમુદ્ર જેવા વિશાળ શાસ્ત્રજ્ઞાનના તરંગો ઉપર તરવાને બદલે તે તરંગોમાં ડૂબી જવાની સ્થિતિ થાય છે. પ્રાયઃ તો પોતાનું પ્રયોજનભૂત વિષય કેટલો અને અપ્રયોજનભૂત વિષય કેટલો તેની વહેંચણી કરવાની ક્ષમતાન હોવાને લીધે ક્ષયોપશમનના પ્રકાર અનુસાર જેમાં ક્ષયોપશમ વધુ ચાલે તેમાં પ્રવીણપણું પ્રાપ્ત કરવા પ્રયત્નવંત તે રહે છે. આ પ્રકારની જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિ વડે પરમાર્થને ચૂકી જવાય છે. અર્થાત તે જ્ઞાન તેને હિતરૂપ થતું નથી પરંતુ અહિતરૂપ થાય છે. વળી શાસ્ત્રનું ભણતર ધારણા વગેરે આવડતને સાચા જ્ઞાનની પ્રાપ્તિ માનીને પોતાને જ્ઞાન પ્રગટ થયું છે અથવાવર્તે છે તેવા ભ્રમમાં જેને અતિ પરિણામીપણું કહેવાય એવા દોષમાં અભિમાનપૂર્વક વર્તે છે. ત્યારે શુષ્ક જ્ઞાનપણું ઉત્પન્ન થાય છે અને જિજ્ઞાસાનો અભાવ થઈ જાય છે. તેમાં બહુ મોટું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. કારણકે અનાદિ અજ્ઞાન અને વિપરીત સંસ્કારોનું બળ ઘટવાનું(કાર્ય) માત્ર પરમાર્થ તત્ત્વની જિજ્ઞાસાના કાળમાં જ બને છે. ત્યારે જ સત્યનું અવભાસન થાય તેવો પરિણામમાં અવકાશ થાય છે. તેથી જ્ઞાનમાર્ગે જનાર મુમુક્ષુઓ જ્યાં સુધી પ્રગટપણે આત્મજ્ઞાન થાય નહિ ત્યાં સુધી ગમેતેટલુવિશાળવાંચન અને ધારણા હોય તો પણ પરમાર્થના વિષયમાં જિજ્ઞાસુ રહેવું ઘટે છે. તે ખાસ પ્રકારની પાત્રતાના સદ્ભાવનું એક લક્ષણ છે. આવી પાત્રતામાં પ્રયોજવાન વિષય સામે આવે ત્યારે જિજ્ઞાસા વધુ સતેજ થાય અને પરમતત્ત્વને ઊંડી જિજ્ઞાસાથી ગ્રહણ કરવાનું બને. આ સિવાય શાસ્ત્રજ્ઞાનરૂ૫ વિદ્વતાને લીધે તેમજ પૂર્વ કર્મના તે પ્રકારના પુણ્યયોગને લીધે સામાજિક આદર સત્કારમળવા લાગે છે, તેમાં જીવફસાઈ જાય છે અને વધુ માન મેળવવાની દ્રષ્ટિ તેને રહ્યા કરે છે. તેથી આત્મશુદ્ધિનો માર્ગ ભૂલી બહારમાં માનાર્થે પ્રવૃતિ કરવા લાગે છે. આ રીતે જ્ઞાન માર્ગે જનારા જીવને પુરુષોએ ચેતવીને અનંત ઉપકાર કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy