SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ઉપરોકત અનેક પ્રકારે મુમુક્ષુ જીવની યથાર્થ યોગ્યતા હોય, તો તે યોગ્યતા જ જ્ઞાન પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. છ માસ સુધી જો આત્માના લક્ષે ધૂન લાગે, તેવો સતત પુરુષાર્થ ઉપડે, તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહિ. જો ખરેખર જીવને આત્માની રુચિ થઈ હોય, તો તેને સતત પણે-નિરંતર આત્માનું ચિંતન અને ધોલન ચાલ્યા જ કરે. અને આવી અનન્યરુચિવાળો જીવ આગળ વધીને પોતાનું કામકરી લે છે. આવો જીવ સત્ સમાગમે પોતાનું પરમાત્મ સ્વરૂપ સાંભળતા અંદરથી ઉલ્લાસીત થાય છે. જેને અતિન્દ્રિય આનંઠની તાલાવેલી જાગી છે તેને આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાસ લાગે નહિ; બીજે ક્યાંય રસ પડે નહિ. જગતના પદાર્થોનો (વિષયો) રસ ફિક્કો થઈ જાય છે અને બધેથી રસ ઉડી જાય. પરથી વિરકતતા અને વિભાવની તુચ્છતા આવ્યા વિના પરિણામ અંદરમાં આવી શકે નહિ, આ સહજ સ્થિતિનો નિયમ છે. બાહ્ય ॥ સ્વરૂપ પ્રાપ્તિમાં બાધક કારણો પણ પ્રયોજના લક્ષે વિચારણીય છે. ♦ સમ્યક્દર્શન રૂપ વીતરાગી દશાની સિદ્ધિ થયા પહેલા મુમુક્ષુતામાં પણ જગતના કેાઈ પદાર્થમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય છે. (પદાર્થોરૂપ) સંયોગોની અનુકુળતાની દ્દષ્ટિનાકારણે જયારે જડ વિષયોમાં સુખની અથવા અનુકુળતાની કલ્પના હોય ત્યારે તેનાથી તદ્દન વિપરીત એવા અતિન્દ્રિય સુખમય સન્માર્ગ કેવી રીતે ભાસ્યમાન થાય? ખરેખર તો નિયમ આ છે. ‘“ઈન્દ્રિય-વિષયના રસમાં જ્ઞાનરસનો અભાવ છે અને જેને જ્ઞાનરસ છે, અર્થાત અતીન્દ્રિય સુખનો – સ્વભાવનો રસ છે, તેને ઈન્દ્રિય વિષયના રસનો અભાવ છે’’. વીતરાગ માર્ગની પ્રાપ્તિ રોકનાર સૌથી વધુ પ્રતિબંધક એવો જીવનો સ્વછંદ નામનો મહાદોષ છે. જે અનેક પ્રકારે જીવને સ્વછંદ પ્રવૃતિમાં રોકી રાખે છે. મુમુક્ષુની ભૂમિકામાં, જ્ઞાનના ક્ષયોપામવાળો જીવ શાસ્ત્રાભ્યાસ કરે છે. આવું અધ્યયન પ્રાયઃ પરલક્ષી જ્ઞાનની પ્રવૃતિરૂપ હોયત્યાં તે જીવને, ‘હું સમજું છું’ તેવો પોતાના વિશે અભિપ્રાય બંધાય છે. આ એક ભ્રમ છે કે જેને કારણે સ્થૂળપણે અથવા સૂક્ષ્મપણે સ્વછંદની ઉત્પત્તિ થાય છે. મુમુક્ષુ જીવે અત્યંત જાગૃત રહી આ પ્રબળ પ્રતિબંધક દોષથી બચવું આવશ્યક છે. આ પ્રકારના દોષને લીધે જીવ જ્ઞાની સત્ પુરુષને ઓળખી શકતો નથી. જ્ઞાનીના વચનોમાં શંકા કરવા લાગે છે. જ્ઞાની પુરુષ પ્રત્યે તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy