SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. તિર્યાદી પ્રવાસનો ઉછરંગી. ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી. ૧૦. પોતાની ગુરુતા દબાવનાર. એવો કોઈ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યફદશાને પાત્ર છે. • અનંત સમાધિનું સુખ અને શાંતિની પ્રાપ્તિનો એવો મોક્ષમાર્ગ એનું મૂલ્ય આંકનાર આત્માર્થી જીવ છે. ભવભ્રમણનું અને સર્વ દુઃખનું મૂળ કારણ ૧. મિથ્યાત્ત્વ ૨. અજ્ઞાન ૩. અસંયમ છે તેથી તે ટાળવાનો પૂરો ઉઘમકરવો ઘટે છે. ભવભ્રમણ ચાલુ રહે તેવાભાવમાં આ ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. જેને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની ખરેખર વાસ્તવિપણે સમજાણી નથી તે જીવ ભ્રમમાં બાહ્ય ક્રિયામાં પ્રવર્તે છે, આગળ વધે છે અને અંતરની વસ્તુથી દૂર જાય છે. ઊંડે ઊંડે એને એમ રહ્યા કરે છે આમ કરતા કરતાં મારું કાર્ય થઈ જશે. આવી અયથાર્થતા ખરા મુમુક્ષુમાં હોતી નથી. ખરા મુમુને ઉદયની સર્વપ્રવૃતિમાં આત્મલક્ષ રહે છે. એટલે કે ચાલતા પરિણમનમાં જે કાંઈ ઈષ્ટ અનિષ્ટપણા રૂપ પરિણામ વર્તે છે, તેમાં જેટલો પોતાનો રસ છે, તેનું જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન રહ્યા કરે છે અને તેથી વિભાવરસમોળો પડતો જાય છે. તેથી સ્વકાર્યની સુગમતાથવાનો અવકાશ થાય છે અને ચૈતન્યતત્ત્વના સ્વરૂપને ગ્રહણ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આત્મજાગૃતિ એ મુમુક્ષુતાનું ખાસ લક્ષણ છે. આ આત્મજાગૃતિનો મુખ્ય ભાવ એવો છે કે હું જ્ઞાન માત્ર છું તેવી અંતર સાવધાની-તે જાગૃતિનું સ્વરૂપ છે. આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરીધગશ અનેતાલાવેલી જાગે, તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહિ. પોતાના ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે આત્મ સ્વરૂપને પામે જ. • વળી જેનું હોનાહાર સારું જ છે તેવા જિજ્ઞાસુની ભૂમિકામાં વર્તતા આત્માર્થી જીવને એવો નિશ્ચિત ભાવ રહે છે કે હું મોક્ષ પામવાને લાયક જ છું. તેમાં તેને શંકા પડતી નથી. ખરા જિજ્ઞાસુને સ્વભાવની લગનીના બળે જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે નીકળી જાય છે. જ્ઞાયક ભાવને પડવાની ખાસ ભાવના છે, તેને કોઈ અટક્વાના પ્રકારની ગંધ રહી ગઈ હોય તો તે લગનીના બળે નીકળી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy