SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ આત્માર્થી જીવને નિજ પ્રયોજનના વિષયમાં તીક્ષ્ણ અને સૂક્ષ્મદ્રષ્ટિપૂર્વક સહજ પ્રવર્તવાનું થાય છે. સ્વરૂપ સંબંધી અપૂર્વ જિજ્ઞાસાને લઈને પૂર્વે ગ્રહેલાં, માનેલા વિપરીતતાના પ્રકારો શિથિલ થાય અને ગૌણ થઈ જાય ત્યારે જ સત્યને સમજવાનો યોગ્ય અવકાશ થાય છે. આ ભૂમિકામાં ભાવના નું તત્ત્વ મુખ્યપણે કામ કરે છે. અર્થાત્ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના મુમુક્ષુ જીવને ક્યાંય અટકવા દેતી નથી. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની તીવ્રતા એટલી બધી હોય કે સ્વાનુભૂતિ થયા પહેલાં ગમે તેવા ઉચ્ચકોટિના શુભ પરિણામ થવા છતાં અંદરમાં ખટક રહ્યા કરે. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગનીવાળી ભાવના, રાગરસને શિથિલ કરનારી હોવાથી અને ભેદ વિજ્ઞાનના અભ્યાસનેનીપજાવનારી હોવાથી આ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતાનું કારણ થાય છે. સમ્યકદર્શન પહેલાની ભૂમિકાનું જ્ઞાનયથાર્થપ્રકારે નિર્મળથતાં સમજણમાં વિપર્યાસ થવાનો પ્રસંગ રહેતો નથી. અર્થાત્ સત્ શાસ્ત્રો અને સત્ પુરુષોનાં વચનોની સમજણમાં યથાર્થતા રહે છે. યથાર્થ જ્ઞાન શુષ્કતાને તોડવાવાળું અને ભાવનાનું ઉત્પાદક છે. આમ મુમુક્ષુની ભૂમિકામાં ભાવનાનું પડખું મુખ્ય છે. ચતન્યને ચેતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઉગેલી ભાવના-એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળે જ છૂટકો. જો નફળે તો ચોક બ્રહ્માંડને શૂન્ય થવું પડે અગર તો આ દ્રવ્યનોનારા થઈ જાય પરંતુ એમ બને જ નહિ, ચેતન્ય પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે”. આ અનંત તીર્થકરોએ કહેલી વાત છે. આકાશ પાતાળ ભલે એક થાય, પણ ભાઈ, તારા ધ્યેયને તું ચુકીશનહિ, તારા પ્રયત્નો તું છોડીશનહિ. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું, જે ધ્યેયે ચડયો પૂર્ણકરજે, જરૂર સિદ્ધ થશે' સંસારપ્રત્યે જીવની ભાવના જોમોળી પડી જાય તો માર્ગ જરૂર મળે. વિભાવનો રસ નીતરતા સ્વભાવ સન્મુખ જીવ થવા લાગે છે. મારે કાંઈ જોઈતુનથી. કોઈ પર પદાર્થની લાલસાનથી. આત્મા જ જોઈએ. એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે જ છૂટકો છે. અંદરમાં ચેતન્યરૂચિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવો નિઃસ્પૃહ થઈ જાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy