SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ મોક્ષાર્થીનું સ્વરૂપ ૧૩ # ભૂમિકા : આ કાળને વિષે પૂર્વે કદી નહિ જાણેલો, નહિ પ્રતીતિ કરેલો અને નહિ આરાધેલો એવો સન્માર્ગ જીવને પ્રાપ્તથવોદુષ્કર છે તેમ સ્વાભાવિક જણાય છે. તેમ છતાં પણ જો કોઈ મુમુક્ષુ જીવને માર્ગપ્રાપ્તિનો એકમાત્ર લક્ષ હોય, તો માર્ગ પ્રાપ્તિ અવશ્ય થવી સંભવે છે. તેથી સમ્યગ્દર્શનાદિ મોક્ષ માર્ગને પામનાર જીવની મુમુક્ષુતા કેવા (યથાર્થ) પ્રકારની હોય, તે સત્પુરુષોના વચનોના આધારે વિચારવા યોગ્ય છે. પ્રથમ તો મુમુક્ષુ જીવને માર્ગપ્રાપ્તિના પ્રબળ નિમિત્ત બે પ્રકારે છે ૧. સત્ શાસ્ત્રનો સ્વાધ્યાય ૨. પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ. અનંતકાળે જ્ઞાની સત્પુરુષનો સમાગમ વિશિષ્ટ પ્રકારના પૂર્વ પુણ્યના ઉદયને લઈને થાય છે. તે કાળે જો આત્માર્થી જીવની યોગ્યતા તે સત્પુરુષને ઓળખે તેવી સુયોગ્ય પ્રકારની હોય, અર્થાત્ સમાગમ થવા છતાં ઓળખી ન શકે તેવા ખાધક પરિણામ તેને વર્તતા ન હોય તો તે જીવની આત્મકલ્યાણની અભિલાષા સફળ થવી સંભવે છે, કારણકે ઉપાઠાનની યોગ્યતા વિના યોગ પણ અયોગરૂપ જ થઈ પડે છે. જે સત્પુરુષો જ્ઞાનદશાને સંપ્રાપ્ત થયા, તેઓ પૂર્વે મુમુક્ષુતામાં યથાર્થપણે પ્રવર્તીને, તે ભૂમિકામાંથી આગળવધીને અનુભૂતિ પર્યંત પહોંચ્યા, તેમાં જે પ્રકારે તેઓ પ્રવર્ત્ય, તેનું અનુભવપૂર્ણ વચનોમાંતેતે મહાત્માઓએ વિશદ, ભાવવાહી શૈલીમાં વર્ણન કર્યું છે. આત્માર્થી જીવને આવા વચનો પોતાની ભૂમિકાને સ્પર્શનો વિષય હોવાથી પ્રયોજ નભૂતપણે વિચારણીય છે. • મુમુક્ષુજીવનાં પરિણામમાં સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના હોય છે, તેમજ સ્વરૂપ સમજવાની/ઓળખવાની અપૂર્વ જિજ્ઞાસા પણ હોય છે. અર્થાત્ અનંત જન્મ-મરણથી મુકત થવાની વેદનાપૂર્વક ઉત્પન્ન જિજ્ઞાસા હોય છે. તેને લઈને પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવાનો જ્ઞાનમાં અવકારા થાય છે. અંદરથી ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાનો આ ખાસ પ્રકાર છે. • તદ્ઉપરાંત પૂર્ણ નિર્દોષતાની પ્રાપ્તિ અર્થાત્ પરિપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય બાંધનાર અને તે ધ્યેયને પૂરી લગનથી અનુસરવાની ધગશવાળો જીવ આત્માર્થીની યોગ્ય ભૂમિકાવાળો હોય છે. તેથી તેને આત્મહિત એજમાત્ર પ્રયોજન રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy