SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૮૪ નિર્મળ પર્યાયોને દ્રવ્ય-ગુણ અને કારણશુદ્ધ પર્યાય- એ ત્રણેની અભેદતાનું જ અવલંબન છે,ત્રણનું જુદું જુદું અવલંબન નથી. ધર્માસ્તિકાય વગેરે ચારદ્રવ્યોની પર્યાય સદા એકરૂપ પરિણામિકભાવે જ વર્તે છે, તેનો જ્ઞાતા તો જીવ છે; જીવની પ્રગટ પર્યાયમાં તો સંસાર મોક્ષ વગેરે વિસતા છે, પણ તે સિવાયની એક સદશ એકરૂપનિરપેક્ષકારણ શુદ્ધ પર્યાય સદા પારિણામિક ભાવે વર્તે છે, તે ઉપાધિરહીત છે અને સર્વે નિર્મળ પર્યાયો પ્રગટવાનું કારણ છે, દ્રવ્યની સાથે તે સદા અભેદપણે વર્તે છે. આ કારણશુદ્ધ પર્યાયને પરમ પરિણામિક ભાવની પરિણતિકહીને એમ બતાવ્યું છે કે જેવી ત્રિકાળ સામાન્ય વસ્તુ છે, એવું જ તેનું વિશેષ પણ સશપણે વર્તે છે. • આ કારણશુદ્ધ પર્યાયનો વ્યક્ત ભોગવટો હોતો નથી; ભોગવટો તો કાર્ય પર્યાયનો હોય છે. સંસાર અને મોક્ષ તે બંન્ને કાર્ય પર્યાય છે. જગતમાં સંસાર પર્યાય, સાધક પર્યાયકે સિદ્ધપર્યાય સામાન્યપણે અનાદિ અનંત છે,....તેમ આ કારણશુદ્ધ પર્યાય તો એકેક જીવને અનાદિ અનંત સદુશપણે છે, તેનો કદી વિરહનથી. આ કારણશુદ્ધ પર્યાયનવી પ્રગટતી નથી પણ તેનું ભાન કરનાર જીવને સમ્યગ્દર્શનાદિ કાર્ય નવું પ્રગટે છે. કારણશુદ્ધ પર્યાયમાં પર્યાય શબ્દ આવે છે તેથી એમ ન સમજવું કે તે પર્યાયદૃષ્ટિનો વિષય છે. તે પર્યાય દ્રવ્ય સાથે સદા તન્મયપણે વર્તતી થકી દ્રવ્યષ્ટિના વિષયમાં સમાય છે. ત્રિકાળી આખા દ્રવ્યનો એક વર્તમાન ભેદ હોવાથી તેને માટે પર્યાય શબ્દ વાપર્યો છે...ને વર્તમાનકાર્ય(મોક્ષમાર્ગ) કરવા માટે તેનું વર્તમાનકારણ બતાવ્યું છે. આ કારણ ઉપર જેની દૃષ્ટિનું જોર છે તેને સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે અને દ્રવ્ય-જે શુદ્ધ શુદ્ધ છે તેની સાથે સદા તન્મયપણે વર્તતી થકી તે પણ સદાય શુદ્ધ જ છે તેથી તેને કારણશુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. કારણશુદ્ધ પર્યાયસહજ શુદ્ધનિશ્ચયનયનો વિષય છે. દ્રવ્ય-ગુણનો વર્તમાન વર્તતો સ્વ-આકાર તે કારણ શુદ્ધ પર્યાય છે, બીજા કારણોનો આશ્રય છોડીને આ સ્વ-આકાર કારણના સ્વીકારથી જ સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-શુદ્ધરત્નત્રયરૂપતારું કર્તવ્ય છે, તેનું કારણ તારા સ્વભાવમાં જ મોજૂદ છે. અંતરમા જ્યારે દૃષ્ટિકર ત્યારે મોક્ષ માર્ગનું કારણ તારામાં રહેલું જ છે. આ કારણને ઓળખીને તેની સાથે એકતા કરવાથી મોક્ષમાર્ગરૂપીકાર્ય થઈ જાય છે. સહજ શુદ્ધ જ્ઞાનચેતના પરિણામજે કારણશુદ્ધ પર્યાય છે તે મોક્ષનું નિશ્ચય કારણ છે. ૦ ૧ ૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy