SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ સુખાત્મક શુદ્ધ - અતઃ તત્ત્વસ્વરૂપ જે સ્વભાવ અનંતચતુષ્ટયનું સ્વરૂપતેની સાથેની જે પૂજિત પંચમભાવ પરિણતિ (તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજય એવી પારિણામિક ભાવની પરિણતિ) તે જ કારણશુદ્ધ પર્યાય છે. ♦ તે વર્તમાન કારણરૂપ છે, તેથી જેને વર્તમાન કાર્ય (સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષકાર્ય) પ્રગટ કરવું હોય તેને તે ઉપયોગી છે, કેમકે તે કારણનો આશ્રય કરતાં કાર્ય પ્રગટી જાય છે. દ્રવ્યથી તે કારણશુદ્ધ પર્યાય કાંઈ જુદી નથી. દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું પૂરેપુરું વર્તમાનમાં વર્તી રહ્યું છે. અરે જીવ ! તું જ્યારે જુએત્યારે વર્તમાન કારણપણે પુરું દ્રવ્ય તારી પાસે જ છે....તેતું જ છે, માત્ર તારા નયનની આળસે તે તારા કારણને જોયું નથી તેથી જ તારું કાર્ય અટક્યું છે – હવે અંતરમાં નજરકરીને આ કારણને જો...આકારણનો સ્વીકાર કરીને તેનો આશ્રય કરતાં તારું નિર્મળ કાર્ય થઈ જશે. આ સ્વ- આકાર કારણના સ્વીકારથી જ સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે. · વિશેષ સ્પષ્ટીકરણ: વસ્તુ સ્વરૂપમા દ્રવ્ય-ગુણ-પર્યાય જુદા જુદા નથી. જે દ્રવ્ય-ગુણતથાતેની નિરપેક્ષકારણશુદ્ધ પર્યાય છે તે ત્રિકાળ એકરૂપ છે, તેમાં સદાય સફ્ળ પરિણમન છે. અપેક્ષિત પર્યાયમાં ઉત્પાદ-વ્યયરૂપ વિસદ્દશ પરિણમન છે. સંસાર કે મોક્ષ બંન્ને પર્યાયનો સમાવેશ અપેક્ષિત પર્યાયમાં થાય છે. જ્યારે તે અપેક્ષિત પર્યાયનું વલણ ધ્રુવવસ્તુ તરફ- પરમ પારિણામિક ભાવ તરફ – જાય ત્યારે ધ્રુવ વસ્તુ એકરૂપ સંપૂર્ણ હોવાથી, ત્યાં તે પર્યાયનો ઉપયોગ સ્થિર રહી શકે છે, અને જેમ જેમ તે સ્થિર રહે છે તેમ તેમ તે પર્યાયની નિર્મળતા વધતી જાય છે. • આ પરમપારિણામિક ભાવના સ્વરૂપને માનવું-શ્રદ્ધામાં લેવું તે જ સમ્યગ્દર્શન છે. - સમ્યગ્દર્શનના ધ્યેયરૂપ પરમપારિણામિક ભાવ ધ્રુવ છે અને તેની સાથે ત્રિકાળ અભેઠરૂપ રહેલી કારણશુદ્ધ પર્યાય છે તેને પૂજિત પંચમ ભાવ પરિણતિ કહેવામાં આવી છે. ♦ દ્રવ્યષ્ટિમાં જે પર્યાયગૌણકરવાની વાત છે તે તો ઔદિયકાદિ ચાર ભાવોની પર્યાય સમજવી; આ પંચમ ભાવપરિણતિ અર્થાત્ કારણશુદ્ધ પર્યાય ગૌણ થઈ શકે નહિ, કેમ કે તે તો વસ્તુ સાથે ત્રિકાળ અભેદ છે. સમ્યગ્દર્શનાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy