SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ કારણશુદ્ધ પર્યાય (પૂજિત પંચમ ભાવ પરિણતિ) : ઔયિકભાવ, ઔપરામિકભાવ, ક્ષાયોપરામિકભાવકે ક્ષાયકભાવ એ ચારે ભાવો સાપેક્ષ છે, ઉત્પાદ – વ્યયવાળી પર્યાયરૂપ છે. જેમ સમુદ્રમાં મોજાં હોય છે તેમ આત્મામાં રાગાદિ વિકારી ભાવો અથવાતેનાઅભાવથી પ્રગટતી નિર્મળ પર્યાયો છે. તે બધા અપેક્ષિતભાવો છે, ક્ષણિક ઉત્પાદ – વ્યયરૂપ છે. તેથી તે ભાવો સમ્યગ્દર્શનના આશ્રયભૂત નથી. આત્મામાં એક ‘‘કારણશુદ્ધ પર્યાય’’ અથવા વિશેષ પારિણામિક ભાવ છે તે નિરપેક્ષ છે, તેમાં ઉદયાદિની અપેક્ષા નથી; તેને નિરપેક્ષ પર્યાય અથવા ધ્રુવ પર્યાય પણ કહેવાય છે. જેમ સમુદ્રમાં પાણીનાં જળની સપાટી એક સરખી હોય છે તેમ આત્મામાં ‘‘કારણશુદ્ધ પર્યાય છે’”, તે સદા એક સરખી છે, તેને ઉદ્દયાદિની અપેક્ષા લાગતી નથી, તે વિશેષ પારિણામિક ભાવરૂપ છે. આત્મામાં સદા સદ્દશપણે વર્તે છે. આ કારણ શુદ્ધ પર્યાય દરેક ગુણમાં પણ છે. આત્માના ત્રિકાળીદ્રવ્ય-ગુણરૂપ સામાન્ય પારિણામિક ભાવ અને વર્તમાન કારણ શુદ્ધ પર્યાયરૂપ વિશેષ પારિણામિકભાવ, એ બંન્ને થઈને પારિણામિકભાવની પૂર્ણતા છે. તેને નિરપેક્ષ સ્વભાવ અથવા શુદ્ધ નિરંજન એકરૂપ અનાદિનિધન ભાવ પણ કહેવાય છે. જેમ સમુદ્રમાં પાણીનું દળ, પાણીનો શીતળ સ્વભાવ અને પાણીની સપાટી– એ ત્રણે અભેદરૂપ તે સમુદ્ર છે. તે ત્રણે હંમેશા એવા ને એવા જ રહે .તે છે; તેમ આત્મામાં, આત્મદ્રવ્ય, તેના જ્ઞાનાદિ ગુણો અને તેનુ સદ્દશ ધ્રુવવર્તમાન અર્થાત્ કારણશુદ્ધ પર્યાય- એત્રણેથઈને વસ્તુસ્વરૂપની પૂર્ણતા છે, તે જ પરમપારિણામિક ભાવ છે અને તે જ સમ્યગ્દર્શનના આશ્રયભૂત છે. જેમ ‘‘સમુદ્રની સપાટી’’ એમ બોલાય છતાં સમુદ્રનું પાણી, તેની શીતળતા અને તેની વર્તમાન એકરૂપ સપાટી- એ ત્રણે જુઠા નથી; તેમ આત્મામાં દ્રવ્ય-ગુણ તે સામાન્ય પારિણામિક અને તેની કારણશુદ્ધ પર્યાય તે વિશેષ પારિણામિક એમ કહેવાય છતાં દ્રવ્ય-ગુણ અને તેનું ધ્રુવરૂપ વર્તમાન એ ત્રણે (અર્થાત્ સામાન્ય પારિણામિક અને વિશેષ પારિણામિક) ખરેખર જુદા નથી પણ અભેદ છે, તે જ વસ્તુસ્વરૂપની પૂર્ણતા છે, તેના જ આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય છે. સહજ શુદ્ધ નિશ્ચયનયથી, અનાદિ – અનંત, અમૂર્ત, અતિન્દ્રિય સ્વભાવવાળા અને શુદ્ધ એવાં સહજજ્ઞાન- સહજદર્શન-સહજચારિત્ર-સહજ પરમવીતરાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy