SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૧ ક્રમબદ્ધના સિદ્ધાંતમાં જે પાંચ સમવાય છે તેમાં સ્વભાવ, નિયતિ, નિમિત્ત, અને પુરુષાર્થમાંકોઈને ખાસ શંકાથતીનથી. પણક્યારેથરો એ ‘કાળલબ્ધિ’માં બધાને શંકા થાય છે, બધું જલ્દી જલ્દીકરીનાખવું છે. વધારેમાં વધારે બોજો આ જ છે. આ એટલા માટે થાય છે કે જગત બહુ જ ઉતાવળમાં છે. એને હંમેશા જલ્દી હોય છે. સમય પહેલા કરવામાં પુરુષાર્થ માને છે. પણ જલ્દી કેમ થાય ? કાળલબ્ધિ જ્યારે જ્યારે પાકે ત્યારે જ થાય. એક સમયમાં એક જ પર્યાય થાય છે. ચિત્તમાં ધૈર્ય પેઠા કરવું પડરો, નહિ તો કાર્ય બગડશે. ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળકરવાવાળાને આક્રમબદ્ધ નહિ સમજાય. આ ક્રમબદ્ધ પર્યાય વ્યવસ્થાપકોને નહિ સમજાય. બધા જ અવ્યવસ્થતા સુધારવા વ્યવસ્થાપક બની ગયા છે. ખરેખર તો પોતાની વ્યવસ્થતા સુધારવાની જરૂર છે.જગતને વ્યવસ્થિત કરવાની જરૂર નથી. જો ‘ક્રમબદ્ધ પર્યાય’ બરાબર સમજાઈ જાય અને તેનાથી પર્યાયો સંબંધી નિશ્ચિતતા આવી જાય તો જે ઉપયોગ આજ સુધી પર્યાયમાં ભટકતો હતોબહાર હતો-ત્યાં સમય અને શક્તિ વેડફ્યા વગર-પર્યાય પરથી દૃષ્ટિ હટી જાય અને ઉપયોગ જો સ્વભાવ સન્મુખ થાય-દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થાય, તો જે જોર અનિત્ય પર હતું તે જો નિત્ય તરફ વળે તો સમ્યગ્દર્શન થઈ જાય. ♦ એક વખત જો વ્યવસ્થાની (પર્યાયની) નિશ્ચિતતા આવી જાય પછી પર્યાય પર દૃષ્ટિ નહિ જાય-નિઃશંકતાથી નિર્ભયતા આવે છે અને નિર્ભયતાથી નિઃસંગતા આવે છે– પરનો સંગ અભિપ્રાયમાંથી પણ છૂટી જાય છેનિઃસંગ જીવ સ્વતંત્ર છે – અનંત સુખ શાંતિ પામે છે. • આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ-સમ્યગ્દર્શન-પ્રગટ કરવા માટે નિજ ગૈકાલિક ભગવાન આત્માનું (જ્ઞાયકનું) લક્ષ્ય કરવું પડશે, આશ્રય લેવો પડશે. જ્ઞાનની પર્યાય જ્યારે જ્ઞાયક સ્વભાવમાં તન્મયથઈ પોતાનું સમર્પણકરીઢેરો ત્યારે આત્મ અનુભવ થઈ જશે. આશ્રદ્ધાનો વિષય છે. તમારી ભાવિની બધીજ પર્યાયોને ક્રમમાં મુકી દો અને નિશ્ચિત થઈ જાવ-કલ્યાણથઈજશે. આજીવને સમ્યગ્દર્શન પ્રાપ્તકરવાબે જ કાર્ય કરવાના છે. ૧. ત્રિકાળી ભગવાન આત્મા અને તેના સ્વરૂપની સમજણ અને શ્રદ્ધા. ૨. ક્રમબદ્ધ પર્યાયની સાચી સમજણ અને શ્રદ્ધા. આની અંદર સર્વજ્ઞતાની શ્રદ્ધા, પરમાત્માની શ્રદ્ધા,નિજ આત્માની નિર્મળ શ્રદ્વા આવી જાય છે અને એ જ સમ્યગ્દર્શન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy