SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. આવી અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય, પ્રાપ્ત થાય”. જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ કાર્ય કરી શકતો ન હોય, પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય થી લાભ છે. મારે આ જ કરવું છે. તે વર્તમાન પાત્ર છે. આત્માર્થી જીવ સ્વકાર્યમાં ઉદ્યમવંત હોવાથી, સમયને વ્યર્થ ગુમાવતો નથી. અર્થાત્ અપ્રયોજનભૂત વિષયમાં (પ્રવૃત્તિમાં) સમય જાય તે તેને પોસાતું નથી. પરંતુ ગમેતેવી કટોકટીમાં પણ અંતર-મંથન, વિચારણા અને સ્વાધ્યાય આદિનો સમય મેળવી લે છે-ખેંચી કાઢે છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત કરનાર કોઈ પણ સાધક અવસ્થામાં રોકાતો નથી. કદી પણ ચાલતા પરિણમનમાં સંતોષાઈ જતો નથી. પરંતુ પોતાને કરવાનું ઘણું બાકી છે તેના ભાનમાં રહીને આગળ વધે છે. સની ઊંડી જિજ્ઞાસાતેને હોવાથી તેનો પ્રયત્ન યથાર્થ પ્રકારે ચાલે છે. અને છેવટે તેની પરિણતિ સરળ થઈ – આત્મસન્મુખ થઈ, આત્મામાં પરિણમેતે સ્થિતિયોગ્ય મુમુક્ષુ જીવને પ્રાપ્ત થાય છે. સમ્યકન પ્રાપ્ત કરનાર જીવ પ્રાયઃ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, જે વિચારની ભૂમિકાવાળી દશા છે. આ ભૂમિકામાં ભેદજ્ઞાનના વારંવારના પ્રયાસરૂપ અભ્યાસ સહિત વિશેષ-ઊંડા ચિંતવનપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કર્તવ્ય છે. સપુરુષના વચનો અને શાસ્ત્રો જરૂર માર્ગ ચીંધે છે. તો પણ મુમુક્ષુ જીવને પોતાની ઊંડી રૂચિ અને પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ તો પોતાનાથી જણાય છે. આવું કારણ આપે તેને કાર્યવાજતે અનાદિનિયમ છે. બધા તાળાની ચાવી એક-શાયકનો અભ્યાસ કરવો”. મોહ રાગદ્વેષરૂપે તાળાં ખોલવા માટે શાયકનો અભ્યાસ કરવારૂપ એક જ ચાવી લગાડવી. આ અમૂલ્ય માર્ગદર્શન છે. • “હું શાયક છું તે પ્રકાર સ્વરૂપ પ્રાપ્તિ માટેના સર્વ પ્રકારોમાં મૂળભૂત પ્રકાર છે' તેમ જાણીને તે પ્રકારે પ્રયત્નનો અભ્યાસ પોતાની લગનીથી થવો ઘટે છે. આ પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાનમાં જ્ઞાયકભાવનાધોલનપૂર્વક પ્રયત્ન થવો જોઈએ. અંતર્મુખી ચિત્તની વિચારધારામાં જ્ઞાનસ્વભાવી (જ્ઞાયક) આત્માના અવભાસન -ભાવભાસનપૂર્વક સહજ પુરુષાર્થ ઉત્પન્ન થાય, તો આત્મદર્શન થાય-આવો સહજ પુરુષાર્થ જેટલો ઉગ્ર તેટલું નિર્વિકલ્પ શીધ્ર થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy