SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ પર્યાય શું છે? ગુણોના પરિણમનને પર્યાય કહે છે. ગુણના વિશેષ કાર્યને(પરિણમનને) પર્યાય કહે છે. જ્યારે ગુણોનો સમૂહ જે દ્રવ્ય છે તે જ્યારે સ્વયં પરિણમન કરે અર્થાત્ પલટાય છે, તોગુણોનો પરિણમન પણ સ્વતઃ થઈ જ જાય છે. એનાથી એ ફલીત થાય છે કે ક્યારે પણ દ્રવ્યનું પરિણમન રોકી શકાતું નથી. એટલે પર્યાય વગર દ્રવ્ય પણ ક્યારે હોઈ શકે જ નહિ, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એ કારણે જ આગમ વચન પણ છે, “ઉત્પાદ વ્યય ધ્રોવ્ય યુક્તમ્ સત્', “સતુદ્રવ્યલક્ષણ”, અર્થાત્ વસ્તુની સત્તા પણ ત્યારે જ સંભવ છે જ્યારે તે અર્થાત્ ગુણોના સમુહરૂપદ્રવ્ય, સ્વયં દ્રવ્યરૂપરહીને ઉત્પાદ-વ્યય કરતું રહે અર્થાત્ પલટાતું રહે, ત્યારે જ તેનું અસ્તિત્વ રહેવું સંભવ છે. પ્રત્યક્ષ અનુભવમાં આવે છે કે બાલ્યાવસ્થા, યુવાઅવસ્થા અને વૃદ્ધાવસ્થા, ત્રણે અવસ્થાઓ પલટાઈને જ થઈ છે પરંતુ જેની આ અવસ્થાઓ થઈ છે એ તો ત્રણે સમયમાં જ ધૃવરૂપ ત્યાંની ત્યાં જ રહ્યો છે. અનંત ગુણોનો ધારક આ આત્મા સ્વયં ધૃવરૂપ કાયમ રહીને પ્રત્યેક સમયે ઉત્પાદ-વ્યયરૂપ પરિણમન કરતો જ રહે છે અને કરતો રહેશે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. - જ્યારે કોઈ પણ દ્રવ્ય પરિણમન કરે છે તો પોતાની સીમા, મર્યાદા, પોતાની સ્વયંની પર્યાય સુધી જ સીમીત રહે છે, અન્ય દ્રવ્ય પોતાની પર્યાયરૂપ પોતે પરિણમન કરી રહ્યું છે, એમાં બીજો દ્રવ્ય કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે? • જો આસિદ્ધાંતનું જ્ઞાન થઈ જાયતો અનંત આકુળતાનોનાશ થઈશાંતિવર્તવા લાગે છે અને ઉપયોગની બહાર તરફની દોટ નિર્બળ થતી જાય છે. આ એક વસ્તુની સ્વતંત્ર વ્યવસ્થતા છે જે સમજવી જોઈએ. • પર્યાયના બે ભેદ છે. (૧) વ્યંજન પર્યાય (૨) અર્થ પર્યાય. પ્રદેશત્ત્વ ગુણના વિકારને વ્યંજન પર્યાય કહે છે. પ્રદેશત્ત્વગુણના સિવાય અન્ય સમસ્ત ગુણોના વિકારને અર્થ પર્યાય કહે છે. આ બંન્નેના બે બે ભેદ પડે છે. ૧. સ્વભાવ ૨. વિભાવ. દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિને ઉત્પાદ કહે છે. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. પ્રત્યભિજ્ઞાનના કારણભૂતદ્રવ્યની કોઈપણ અવસ્થાની નિત્યતાને ધ્રોવ્ય કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy