SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૭૧ ૧૦ ॥ સામાન્ય ભૂમિકા • આખું વિશ્વ ત્રણ પદાર્થમાં સમાઈ જાય છે. છ દ્રવ્ય – તેના ગુણો અને તેની પર્યાયો. ગુણોના વિરોષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે. • છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાથી સ્વ-પરનું ભેદજ્ઞાન અને પરપદાર્થની કર્તૃત્ત્વબુદ્ધિનો અભાવ થાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાય જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં( અવસ્થામાં) રહે તેને ગુણ કહે છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણોના બે પ્રકાર છે. સામાન્ય- વિશેષ. સર્વ દ્રવ્યોમાં હોય તેને સામાન્ય ગુણ કહે છે. જે બધા દ્રવ્યોમાં ન હોય, પણ પોતપોતાના દ્રવ્યમાં(ખાસપણે) હોય તેને વિરોષ ગુણ કહે છે. સામાન્ય ગુણો અનેક છે પણ મુખ્યપણે જાણવા યોગ્ય છ છે. ૧. અસ્તિત્ત્વ ૨. વસ્તુવ દ્રવ્યમાં સામાન્ય ગુણ ન હોય તો દ્રવ્યપણું જ ન રહે. વિરોષ ગુણ ન હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું ન જણાય, અર્થાત કોઈ દ્રવ્ય પર દ્રવ્યથી જુદું ઓળખી ન શકાય. ૩. દ્રવ્યત્ત્વ ૪. પ્રમેયત્ત્વ પ. અગુરુલઘુત્ત્વ ૬. પ્રદેશત્ત્વ દરેક ગુણ પોતાના સ્વદ્રવ્યના ક્ષેત્રમાં નિરંતર પોતાનું જ કાર્ય કરે છે, કદી પરનું કે બીજા ગુણનું કાર્ય કરે નહિ, એ દરેક ગુણના કાર્ય ક્ષેત્રની મર્યાદા છે. જગતમાં છયેદ્રવ્યોમાંદ્રવ્ય - ગુણ- પર્યાયો ભિન્નભિન્ન અને સ્વતંત્ર છે અને તે બધાથી હું જ્ઞાન સ્વભાવી આત્મા ભિન્ન છું – એ પ્રકાર ભેદ જ્ઞાનરૂપી અપૂર્વ - ધર્મ પ્રગટ થાય. Jain Education International દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાહી પર્યાય વડે પોતાનામાં જ વર્તે છે. એ રીતે દરેક દ્રવ્ય પોતામાં વ્યવસ્થિત નિયત મર્યાદાવાળું હોવાથી કોઈ દ્રવ્યને બીજાની જરૂર પડતી નથી. દ્રવ્ય - ગુણ અને પર્યાય એ ત્રણે સત્ છે. તેમાં સદ્દશ સામાન્ય સત્ દ્રવ્ય તથા ગુણ નિત્ય સત્ છે અને પર્યાય એક સમય પૂરતું અનિત્ય સત્ છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy