SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ ઉ. પ્ર.: જો વ્યહારનય અસત્યાર્થ છે, તો તેને ઉપદેશ જિનમાર્ગમાં શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું. જેમ અનાર્યને-મલેચ્છને મ્લેચ્છભાષાવિના અર્થ ગ્રહણ કરવાનું શક્ય નથી, તેમ વ્યવહાર વિનાપરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. પ્ર.: ૧. વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થાય-એ કેવી રીતે ? ૨. વ્યવહાર નયને અંગીકાર ન કરવો–એ કેવી રીતે? ઉ.: ૧. નિશ્ચય નયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન,સ્વભાવોથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે. તેને જેઓન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ તેથી તેમને સમજાવવા, વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર-નારક-પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે મનુષ્યજીવ છે’, ‘નારકી જીવ છે ઈત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ; અથવા અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયરૂપ જીવના ભેદ ર્યા, ત્યારે ‘જાણનારો જીવ છે , દેખનારો જીવ છે ઈત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી તો વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; પણ તેને જેઓ ન ઓળખે તેમને એ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ; તેથી તેમને સમજાવવા વ્યવહારનયથીતત્ત્વાર્યશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પારદ્રવ્યનું નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વડે વ્રત-શીલ-સંયમાદિરૂપ વીતરાગ ભાવના વિશેષો દર્શાવ્યા ત્યારે તેમને વીતરાગ ભાવની ઓળખાણ થઈ. આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થવાનું સમજવું. ૨. અહીં વ્યવહારથીનર-નારકાદિપર્યાયને જ જીવ કહ્યો. તેથી કાંઈ તે પર્યાયને જ જીવનમાની લેવો. પર્યાયતોજીવ પુદ્ગલના સંયોગરૂપ છે. ત્યાં નિશ્ચયથીજીવદ્રવ્ય જુદું છે. તેને જ જીવ માનવો. જીવનાસંયોગથી શરીરાદિકને પણ જીવ કહ્યા તે કહેવા માત્ર જ છે. પરમાર્થે શરીરાદિક જીવ થતાં નથી. આવું જ શ્રદ્ધાન કરવું. બીજું, અભેદ આત્મામાં જ્ઞાન દર્શનાદિ ભેદ તેથી કાંઈ તેમને ભેદરૂપ જ ન માની લેવા; ભેદ તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy