SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શાસ્ત્રમાં કેટલાક કથનો સ્વાશ્રિત નિશ્ચય નયના હોય છે. (જેઓ સ્વનું પરથી પૃથપણે નિરૂપણ કરે છે, અને કેટલાક થનો પરાશ્રિત વ્યવહારનયનાં હોય છે. (જેઓ સ્વનું પર સાથે ભેળસેળપણે નિરૂપણ કરે છે.) ત્યાં નિશ્ચય નય ના કથનોનો તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહાર નયના કથનોને અભૂતાર્થ સમજી તેમનો સાચો આશય શો છે તે તારવવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો વિપરીત સમજણથવાથી મહા અનર્થ થાયઆસમજવું. “પ્રત્યેકદ્રવ્યસ્વતંત્ર છે, તે પોતાના ગુણ-પર્યાયને અને ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યને કરે છે. પરદ્રવ્યને ગ્રહી- છોડી શકતું નથી. તેમજ પરદ્રવ્યતેને ખરેખર કાંઈ લાભ-નુકશાન કે સહાય કરી શકતું નથી. જીવનો શુદ્ધ પર્યાય સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસવ-બંધના કારણભૂત છે.” આવા મૂળભૂત સિદ્ધાંતને ક્યાંય બાધ ન આવે એવી રીતે હંમેશા શાસ્ત્રના ક્યનોનો અર્થ કરવો જોઈએ. શાસ્ત્રનો બરાબર અભ્યાસ કરી, સર્વદ્રવ્યોની સ્વતંત્રતા સમજી નવ પદાર્થોની યથાર્થ સમજણ કરી, ચેતન્યગુણમય જીવદ્રવ્ય સામાન્યનો આશ્રય કરી, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટાવી માર્ગને પ્રાપ્ત કરી, ભવભ્રમણનાં દુઃખોના અંતને પામીએ એ જ ભાવના છે, એ જ આશય છે, એ જ પ્રયોજન છે. - વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી, નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહાર નય સ્વદ્રવ્ય-પદ્રવ્ય વા તેમના ભાવોને વા કારણ -કાર્યદિકને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી માટે એવા જ શ્રદ્ધાન થી સમ્યકત્ત્વ થાય છે તેથી તેનું શ્રદ્ધાન કરવું. આ વાત બહુ સરળ-સીધી અને સહજ સમજાય એમ છે. પ્રઃ જો એમ છે, તો જિન માર્ગમાં બંન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે- એ કેવી રીતે? ઉઃ જિનમાર્ગમાં ક્યાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો ‘સત્યાર્થ આમ જ છે એમ જાણવું ; તથા ક્યાંક વ્યવહાર નયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને “આમ છે નહિ, નિમિત્તાદિન અપેક્ષાએ ઉપચારર્યો છે એમ જાણવું આ પ્રમાણે જાણવાનુનામ જ બંનયોનું ગ્રહણ છે. પરંતુ બંન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આમ પણ છે અને આમ પણ છે. એમભ્રમરૂપ પ્રવર્તવાવડે તો બંનયોનો ગ્રહણ કરવાનું કહ્યું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy