SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ અનંત કાળ સુધી રહેશે. એમને એકી સાથે કહેવાનું સામર્થ્ય વાણીમાં ન હોવાથી વાણીમાં મુખ્ય-ગૌણના ભેદ જોવા મળે છે. વસ્તુતો પરથી નિરપેક્ષ જ છે. એને પોતાના ગુણ-ધર્મો ધારણ કરવામાં કોઈ પણ પરની અપેક્ષા રંચમાત્ર પણ નથી. એમાં બધા ધર્મો એકી સાથે વિદ્યમાન રહે છે, દ્રવ્યદ્રષ્ટિથી વસ્તુ જે સમય નિત્ય છે, પર્યાય દૃષ્ટિથી તે જ સમય અનિત્ય પણ છે. વાણીથી જયારે નિત્યતાનું કથન કરવામાં આવે ત્યારે અનિત્યતાનું કથન સંભવ નથી. એટલે વાણીમાં સ્યાત્-પદનો પ્રયોગ આવશ્યક છે, સ્યાત્ પદ્ અવિવક્ષિતધર્મોનેગૌણ કરે છે, પણ અભાવનથી કરતો. એના પ્રયોગ વિના અભાવનો ભ્રમ ઉત્પન્ન થાય છે. અનેકાન્તમયી વસ્તુનો ન કરવાવાળી પદ્ધતિ ચાવાઇ છે.” જૈન દર્શન પ્રમાણે એકાંત પણ બે પ્રકારનું હોય છે અને અનેકાન્તપણ. ૧. યથા સમ્યફ એકાંત. ૨. મિથ્યા એકાંત. એવી જ રીતે ૧. સમ્યક અનેકાન્ત. ૨. મિથ્યા અનેકાંત. નિરપેક્ષનયમિથ્યા એકાંત છે અને સાપેક્ષનયસમ્યક એકાંત છે. તથા સાપેક્ષ નયોનું સમૂહ અર્થાત્ શ્રત પ્રમાણ સમ્યક અનેકાન્ત છે અને નિરપેક્ષનયોનું સમૂહ અથવા પ્રમાણાભાસ મિથ્યા અનેકાન્ત છે. ભિન્નભિન્ન નયો નેસ્યાદ્વાદીરૂપ સૂતરના દોરામાં પરોવવાથી સંપૂર્ણ નય શ્રુત પ્રમાણ કહેવામાં આવે છે. પરમાગમના બીજસ્વરૂપ અનેકાન્તમાં સંપૂર્ણ નયો (સમ્યફ એકાંત) નો વિલાસ છે એમાં એકાંતોનો વિરોધને સમાપ્ત કરવાનું સામર્થ્ય છે કારણ કે વિરોધ વસ્તુમાં નથી, અજ્ઞાનમાં છે. સ્યાત્ પદના પ્રયોગથી એ સ્પષ્ટ થાય છે કે અહીંયા જે થનકરવામાં આવ્યું છે એ અંશના સંબંધમાં છે, પૂર્ણ વસ્તુના સંબંધમાં નથી. સાત આંધળા અને હાથીનો દૃષ્ટાંત પ્રખ્યાત છે. અનેકાન્ત અને સ્યાદ્વાદસિદ્ધાંત એટલુંગૂઢ અને ગંભીર છે કે અને સૂક્ષ્મતાથી અને ઊંડાણ થી સમજ્યા વગર એના તળ સુધી પહોંચવાનું અસંભવ છે કારણકે ઉપર ઉપરથી જોવાથી ખોટું પ્રતીત થશે. શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ - જિનેન્દ્ર શાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનાર પવિત્ર શાસ્ત્રોનો અભ્યાસ કરી તેના આશયને જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિના અનંત દુ:ખોનો નાશ કરીને નિર્વાણને પામે. તેના આશયોને સમ્યફ પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવા જેવી છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy